ભારત-યુએઈ સંબંધોને નવી ગતિ: પીએમ મોદી-શેખ નાહ્યાન બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર સંમતિ

સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ભારતની સત્તાવાર મુલાકાત માટે નવી દિલ્હીમાં પહોંચ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને લોક કલ્યાણ માર્ગ પર તેમના નિવાસસ્થાન ખાતે દ્વિપક્ષીય બેઠક યોજી.

બેઠકમાં બંને દેશો વચ્ચે વિવિધ સમજૂતી કરારો (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ.
મુખ્ય મુદ્દાઓ:
– ઉર્જા ક્ષેત્ર: યુએઈ દર વર્ષે ભારતને 5 લાખ મેટ્રિક ટન LNG પૂરૂં પાડશે, પરમાણુ ઊર્જા, મોટાં અને નાના રિએક્ટર ક્ષેત્રે સહયોગ.
-ટેકનોલોજી અને ડેટા: ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા વધારવા માટે રોકાણ; AI અને સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવું.
– અવકાશ ક્ષેત્ર: લોન્ચ પેડ્સ, ઉપગ્રહ ઉત્પાદન અને સંયુક્ત મિશન.
– ગુજરાતમાં ખાસ પ્રોજેક્ટ્સ: ધોલેરામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બંદર, સ્માર્ટ સિટી અને રેલ-ઊર્જા પ્રોજેક્ટ્સ.
– ખાદ્ય સુરક્ષા: ખેડૂતો માટે લાભકારી કરાર.
– સાંસ્કૃતિક સહયોગ: અબુ ધાબીમાં ‘હાઉસ ઓફ ઈન્ડિયા’ સ્થાપિત કરવાની યોજના.
– વાણિજ્યિક સહયોગ: 2032 સુધીમાં વાર્ષિક વેપાર $200 બિલિયન સુધી વધારવાનું લક્ષ્ય, ભારત-આફ્રિકા SETU અને India Mart સહિતના પ્રોજેક્ટ્સ.

બેઠકમાં પશ્ચિમ એશિયા, યમન, ગાઝા અને ઈરાનની પરિસ્થિતિ પર પણ ચર્ચા થઈ. બંને નેતાઓએ ભારતીય નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ અંગે પણ ચર્ચા કરી.

વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું કે, ભારત-UAE વચ્ચે વ્યૂહાત્મક, આર્થિક અને સાંસ્કૃતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ બેઠક મહત્વપૂર્ણ પગલુ છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

ભારતમાં હેન્ટાવાઇરસને લઈને ચિંતા વચ્ચે NIV અને WHOએ આપી રાહત

તાજેતરમાં ડચ ક્રૂઝ શિપ MV Hondius પર હેન્ટાવાઇરસના કેસો સામે આવતા વૈશ્વિક સ્તરે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને જહાજ પર બે ભારતીય નાગરિકો પણ ક્રૂ મેમ્બર તરીકે હાજર હોવાના અહેવાલો…