ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારના સંકેત, સિનિયર IPS શમશેર સિંઘ ગુજરાત કેડરમાં પરત ફરશે

ગુજરાતના પોલીસ પ્રશાસનમાં મહત્વપૂર્ણ ફેરફારના સંકેત મળી રહ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે 1991 બેચના સિનિયર IPS અધિકારી શમશેર સિંઘને તેમની પેરેન્ટ કેડર એટલે કે ગુજરાતમાં પરત મોકલવાની મંજૂરી આપી છે. હાલ તેઓ સીમા સુરક્ષા દળ (BSF)માં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે પ્રતિનિયુક્તિ પર ફરજ બજાવી રહ્યા હતા.

‘પ્રિમેચ્યોર રિપેટ્રિએશન’ને મંજૂરી
ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ મુજબ, સક્ષમ સત્તાધિકારીએ શમશેર સિંઘની પ્રિમેચ્યોર રિપેટ્રિએશનની વિનંતી મંજૂર કરી છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી કરવામાં આવશે. આ અંગેની સત્તાવાર જાણ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP)ને પણ કરી દેવામાં આવી છે.

ઇન્ચાર્જ DGP કરતા એક વર્ષ સિનિયર
– શમશેર સિંઘની ગુજરાત વાપસી બાદ રાજ્યના પોલીસ બેડામાં સમીકરણો બદલાઈ શકે છે.
– શમશેર સિંઘ 1991 બેચના IPS અધિકારી છે
– તેઓ વર્તમાન ઇન્ચાર્જ DGP ડો. કે.એલ.એન. રાવ કરતા એક વર્ષ સિનિયર છે
– તેઓ માર્ચ 2026માં નિવૃત્ત થવાના છેતેમની સિનિયોરિટી જોતા એવી ચર્ચાઓ તેજ બની છે કે તેમને ગુજરાત પોલીસમાં કોઈ મહત્વપૂર્ણ અને ઉચ્ચ જવાબદારી સોંપાઈ શકે છે.

ગુજરાતમાં વિશાળ વહીવટી અનુભવ
કેન્દ્રીય ડેપ્યુટેશન પર જતાં પહેલાં શમશેર સિંઘે ગુજરાતમાં વડોદરા પોલીસ કમિશનર સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સેવા આપી છે. શિસ્તબદ્ધ અને અનુભવી અધિકારી તરીકે તેમની છાપ છે. હવે ટૂંક સમયમાં તેઓ ગુજરાત પોલીસમાં વિધિવત રીતે કાર્યભાર સંભાળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…

જસદણ ખનીજચોરી વિવાદ: ભાજપ નેતાનું નામ ખુલતા રાજકારણ ગરમાયું… 2026 Corruption

રાજકોટ રેન્જ ખનીજચોરી રેકેટમાં રાજકારણ ગરમાયું: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવતા ચર્ચા તેજ, પોલીસે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો  રાજકોટ ખનીજચોરી રેકેટ: જસદણ તાલુકા ભાજપ પ્રમુખનું નામ સામે આવ્યું, ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ રેન્જમાં ગેરકાયદેસર ખનીજચોરી મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. પોલીસે કાર્યવાહી કરીને અંદાજે ₹27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. જાણો સમગ્ર મામલો. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન સામે સરકાર અને પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ રેન્જમાં બહાર આવેલા એક ખનીજચોરી રેકેટે ફરી એકવાર રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા જગાવી છે. આ કેસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતાં સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસે ગેરકાયદેસર ખનન…