પીએમ મોદી આજે લખનૌમાં કરશે ‘રાષ્ટ્ર પ્રેરણા સ્થળ’નું ઉદ્ઘાટન, અટલજીને જન્મજયંતિ પર અર્પણ કરશે શ્રદ્ધાંજલિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 101મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરશે. આ પ્રેરણા સ્થળ વસંત કુંજ વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન  બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે  એક જાહેર સભાને સંબોધિત કરશે. આ રાષ્ટ્રીય સ્મારકનું નિર્માણ કેન્દ્ર સરકાર દ્વારા સ્વતંત્ર ભારતના મહાન નાયકોના વારસાને માન આપવા માટે કરવામાં આવ્યું હતું.

લખનૌના વસંત કુંજ યોજનામાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની કાંસ્ય પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ કાંસ્ય પ્રતિમાઓ, દરેક 65 ફૂટ ઊંચી છે, તેનું અનાવરણ પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે.

જનસંઘના સ્થાપક નેતાઓની કાંસ્ય પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવશે, સાથે તેમની યાદોને સાચવવા માટે સમર્પિત સંગ્રહાલય પણ બનાવવામાં આવશે. આ 65 એકરના રાષ્ટ્રીય પ્રેરણા સ્થળના નિર્માણમાં ₹232 કરોડનો ખર્ચ થયો છે. કાંસ્ય પ્રતિમાઓનો ખર્ચ ₹21 કરોડ થયો છે. આ કાર્યક્રમ માટે લખનૌને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે, ચોકઠા પર ફેસ્ટૂન અને દિવાલો પર ચિત્રો લગાવવામાં આવ્યા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાન તણાવ વચ્ચે ઈઝરાયેલની તાકાતમાં વધારો, અમેરિકા પાસેથી અદ્યતન ફાઈટર જેટ ખરીદશે

મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયલે પોતાની સૈન્ય શક્તિ મજબૂત બનાવવાનો મોટો નિર્ણય લીધો છે. ઈઝરાયેલ હવે United States પાસેથી F-35I અને F-15IA જેવા અદ્યતન ફાઈટર જેટના વધુ બે…

ફિલિપાઈન્સમાં માયોન જ્વાળામુખી ફાટ્યો, હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

ફિલિપાઈન્સના અલ્બે પ્રાંતમાં રવિવારે (3 મે) ભયાનક કુદરતી ઘટના બની છે, જેમાં પ્રખ્યાત Mayon Volcano ફરી સક્રિય થયો છે. જ્વાળામુખી વિસ્ફોટ બાદ આસપાસના વિસ્તારોમાં તાત્કાલિક ખાલી કરાવવાની કામગીરી શરૂ કરવામાં…