ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વક્ફને હવે ધાર્મિક ટ્રસ્ટો સમકક્ષ ગણાશે, કોર્ટ ફી ફરજિયાત

ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે હવેથી વક્ફ અન્ય ધાર્મિક ટ્રસ્ટોની સમકક્ષ ગણવામાં આવશે. હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે સંપત્તિ સંબંધિત કોઈપણ વિવાદમાં વક્ફ બોર્ડને હિન્દુ ટ્રસ્ટોની જેમ જ કોર્ટ ફી ભરવી ફરજિયાત રહેશે.

હાઈકોર્ટનો નિર્ણય અને મહત્વ
કોર્ટના આ ચુકાદા મુજબ કાયદાની દ્રષ્ટિએ કોઈ પણ વાદી કાયદાની પ્રક્રિયાથી ઉપર નથી. તેથી, અન્ય ધાર્મિક સંસ્થાઓને લાગતા નિયમો હવે વક્ફને પણ લાગુ પડશે. અગાઉ જૂના વક્ફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કોર્ટ કેસમાં ફી ભરવાથી મુક્તિ મળતી હતી, જે હવે નહી રહેશે. આ આદેશ નાની દરગાહથી લઈને મોટી મસ્જિદોના સંચાલકો સુધી સર્વસમાન લાગુ પડશે.

વક્ફ શું છે?
વક્ફ અરબી શબ્દ “વકુફા” પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે “રોકવું” અથવા “સાચવવું”. કાયદાકીય દૃષ્ટિએ, વક્ફ એ ઇસ્લામમાં ધાર્મિક હેતુ માટે કોઈ વ્યક્તિની મિલકતનું એન્ડોમેન્ટ છે. વકીફા એટલે તે વ્યક્તિ જે પોતાની મિલકત વક્ફ તરીકે આપે છે. વક્ફ દ્વારા આપવામાં આવેલી મિલકતો વેચી શકાતી નથી અને તેનો ધર્મ સિવાયના હેતુ માટે ઉપયોગ ન કરી શકાય.

ભારતમાં વક્ફની પરંપરા અને કાયદાકીય ઇતિહાસ
ભારતમાં વક્ફની પરંપરા ઇસ્લામના આગમન સાથે શરૂ થઈ, જે 12મી સદીમાં દિલ્હી સલ્તનતના સમય સાથે જોડાય છે. સ્વતંત્રતા પછી 1954માં પહેલીવાર વક્ફ ઍક્ટ લાગુ કરવામાં આવ્યો, ત્યારબાદ 1995 અને 2013માં તેમાં સુધારા કરવામાં આવ્યા. 2024માં નવું વક્ફ બિલ રજૂ થયું, જે અંગે દેશભરમાં ચર્ચા અને વિરોધ થયો. 2025ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સંસદમાં JPC રિપોર્ટ અને સંશોધિત બિલ રજૂ કરવામાં આવ્યું અને મંજૂરી મળી.

વક્ફ બોર્ડની મિલકત અને મહત્વ
ભારતમાં દરેક રાજ્યમાં સ્થાનિક સ્તરે વક્ફ બોર્ડ કાર્યરત છે, જે વક્ફ મિલકતોનું સંચાલન કરે છે. વક્ફ બોર્ડ પાસે આશરે 9.4 લાખ એકર જમીન અને 8.7 લાખ મિલકતો છે, જેના કુલ મૂલ્યનું અંદાજ રૂ. 1.2 લાખ કરોડ છે. આને કારણે વક્ફ બોર્ડ ભારતના સૌથી મોટા જમીનમાલિકોમાંના એક છે. સંચાલકીય ભૂલો અને કાયદાકીય વિવાદોના કારણે ઘણી વક્ફ મિલકતો કોર્ટમાં પહોંચી છે.

આ હાઈકોર્ટના ચુકાદાથી વક્ફ અને અન્ય ધાર્મિક ટ્રસ્ટો વચ્ચે કાનૂની સમાનતા સ્થાપિત થશે અને સંપત્તિ વિવાદોમાં કોર્ટ ફી ભરવી હવે ફરજિયાત રહેશે, જે વક્ફ મિલકતોના સંચાલનમાં વધુ પારદર્શિતા લાવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈન્ડોનેશિયામાં 271 લોકો સાથેની ફેરીમાં ભીષણ આગ: 5ના મોત, 41 લાપતા

ઈન્ડોનેશિયામાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. 271 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલી એક ફેરીમાં સમુદ્ર વચ્ચે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે, જ્યારે 41 લોકો હજુ પણ લાપતા છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને અનેક જહાજો તથા બચાવ દળો ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસોમાં જોડાયા છે. આ ઘટના પૂર્વ જાવાના સુરાબયા શહેરથી દક્ષિણ સુલાવેસીના મકાસ્સાર તરફ જઈ રહેલી ફેરીમાં બની હતી. આગ લાગ્યા બાદ મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘણા લોકોએ જીવ બચાવવા માટે દરિયામાં છલાંગ લગાવી દીધી હતી. ઈન્ડોનેશિયામાં મુસાફરોમાં મચી અફરાતફરી ઈન્ડોનેશિયામાં નેશનલ સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સી (Basarnas)ના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત ફેરી…

‘ટ્રમ્પનો દાવો ખોટો, હોર્મુઝ સ્ટ્રેટ પર પ્રતિબંધ યથાવત રહેશે’: ઈરાનનો અમેરિકા સામે કડક સંદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે બંને દેશો આમને-સામને આવી ગયા છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં દાવો કર્યો હતો કે ઈરાન સાથે યુદ્ધવિરામ અને સમજૂતી અંગે મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે અને હોર્મુઝ સ્ટ્રેટ ટૂંક સમયમાં સંપૂર્ણપણે ખોલવામાં આવશે. જોકે, ઈરાને ટ્રમ્પના આ દાવાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે અને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરે, ત્યાં સુધી હોર્મુઝ સ્ટ્રેટ પરના નિયંત્રણો અને પ્રતિબંધો યથાવત રહેશે. ઈરાનના નિવેદન બાદ મધ્ય પૂર્વમાં ફરીથી ભૂરાજકીય તણાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોવાથી તેના પર લાગતા કોઈપણ પ્રતિબંધની અસર આંતરરાષ્ટ્રીય બજારો પર સીધી પડી…