ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન દ્વારા ‘સ્નેહ મિલન 2025’નું ભવ્ય આયોજન

ચાંદલોડિયા, વંદેમાતરમ, કે એન સીટી, ગોતા, ત્રાગડ, જગતપુર, ચેનપુર, ન્યૂ સાયન્સ સિટી અને માલાબાર વિસ્તારની 300થી વધુ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીના સંગઠન, ‘ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટીઝ એસોસિયેશન’ દ્વારા આયોજિત વાર્ષિક ‘સ્નેહ મિલન 2025’ કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા સાથે સંપન્ન થયો છે. હિતેશ ઠક્કર (રાણા)ના નેતૃત્વ હેઠળ, આ સંપૂર્ણપણે બિન-રાજકીય સામાજિક સંગઠનના ઉપક્રમે ગોતા, વંદેમાતરમ્ રોડ સ્થિત આગમન પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ સોસાયટીના મુખ્ય હોદ્દેદારોએ એક છત નીચે એકઠા થઈને સંગઠનની શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

આ ‘સ્નેહ મિલન’ કાર્યક્રમમાં 1200થી વધુ લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા અને આ એસોસિયેશનની સામાજિક પ્રતિબદ્ધતા અને જનસમુદાયમાં તેની લોકપ્રિયતા દર્શાવી હતી.

મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ


કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત ભાજપના સહકારિતા અધ્યક્ષ, બિપીનભાઈ પટેલ ગોતા અને યુવા ઉદ્યોગપતિ ધ્રુવભાઈ પટેલ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનની પ્રવૃત્તિઓને બિરદાવી હતી.

આ એસોસિયેશનનો ઉદ્દેશ્ય માત્ર વિસ્તારના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો છે. આ સંગઠન કોઈપણ રાજકીય પક્ષ સાથે જોડાયેલું ન હોવા છતાં, 300થી વધુ સોસાયટીના પ્રતિનિધિઓની આટલી મોટી સંખ્યામાં સ્વયંભૂ હાજરીએ સાબિત કર્યું કે નાગરિકોની સુખાકારી માટેનું નિષ્ઠાવાન કાર્ય કેટલું અસરકારક સાબિત થઈ શકે છે.

એસોસિયેશન વિસ્તારના સુધારા માટે 300થી વધુ સોસાયટીઓ અને સરકારી અધિકારીઓ સાથે સંકલન કરીને કાર્ય કરે છે.

એસોસિયેશનના નેતા *હિતેશ ઠક્કર (રાણા)*એ કાર્યક્રમની ભવ્ય સફળતા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે ખાસ કરીને એસોસિયેશનના સફળ આયોજન પાછળ મહત્વની ભૂમિકા ભજવનાર મહિલા વિંગ (Woman Wing)ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મહિલા કાર્યકારી પ્રમુખ મોનાબેન પંચાલ અને સપનાબેન બોડાના એન્ડ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

વધુમાં, તેમણે એસોસિયેશનની કોર ટીમના ઉપપ્રમુખ યશપાલસિંહ ઝાલા, મહામંત્રી ડો રાજેશભાઈ સાનરિયા, વરિષ્ઠ મહામંત્રી જયદીપભાઈ ચોધરી અને પ્રશાંતભાઈ ગોસ્વામી સહિત સમગ્ર ટીમના અથાગ પ્રયાસોની સરાહના કરી હતી.

હિતેશભાઈએ આ કાર્યક્રમના સફળ આયોજનમાં સહયોગ આપનાર સમર્થકો જયદીપભાઈ ચોધરી, દશરથભાઈ ઠાકોર, હર્ષ ભોજક અને જયેશભાઈ દેસાઈ, વિજયભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ સોલંકી, વિપુલભાઈ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમનું સંચાલન સુનિલભાઈ ભોજક, શૈલેષભાઈ પટેલે કરેલ તેમજ ભોજન વ્યવસ્થા અરવિંદભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ અને ભાસ્કરભાઈ ઠક્કર અને પાર્થના પટેલ સોસાયટીની ટીમેં કરેલ.

અન્ય સેવામાં વિકીભાઈ બ્રહ્મભટ્ટ, પ્રજ્ઞેશભાઈ રાવલ, જયેશભાઈ પટેલ અને જયેશભાઈ ઠક્કર, ચિરાગભાઈ પટેલ, મનીષભાઈ મેવાડા, નિલેશભાઈ કડિયા, જતીનભાઈ નાયક અને વિમલભાઈ ત્રિવેદીનો ફાળો અમૂલ્ય રહ્યો હતો.

અંતે, તેમણે એસોસિયેશનના દરેક સભ્યનો આભાર માન્યો હતો, જેમના સહકારથી આ ‘સ્નેહ મિલન 2025’ એક યાદગાર પ્રસંગ બન્યો.

આ ભવ્ય સફળતા ન્યૂ એસ.જી. રોડ અને કે.એન. સિટી સોસાયટી એસોસિયેશનના વિસ્તારના નાગરિકોની એકતા, સહયોગ અને પોતાના વિસ્તારને વધુ સારો બનાવવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…