જમ્મુ-કાશ્મીર: હંદવારા જંગલમાં આતંકીઓનું ભૂગર્ભ ઠેકાણું શોધાયું, મોટી સંખ્યામાં હથિયારો-વિસ્ફોટકો જપ્ત

જમ્મુ અને કાશ્મીરનાં ઉત્તર ક્ષેત્ર હંદવારા ખાતે સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી છે. નૌગામ સેક્ટરના નીરિયાન જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક ભૂગર્ભ આતંકી ઠેકાણું શોધીને નષ્ટ કર્યું છે. અહીંથી મોટી માત્રામાં હથિયારો, મેગેઝિન, કારતૂસ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

ગુપ્તચર જાણકારી પરથી ઓપરેશન શરૂ
હંદવારા પોલીસ અને ભારતીય સેના (નૌગામ બ્રિગેડ)ને જંગલ વિસ્તારમાં શંકાસ્પદ ગતિવિધિઓ અંગે ગુપ્તચર માહિતી મળી હતી. તેના આધારે સંયુક્ત શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું.

ભૂગર્ભ બંકરમાં હતું આતંકીઓનું ગૂપ્ત ઠેકાણું
સુરક્ષા દળોએ જંગલની વચ્ચે ભૂગર્ભમાં બનાવેલું મજબૂત બંકર શોધ્યું. તપાસ દરમ્યાન નીચે મુજબના હથિયારો મળ્યા:
– 2 એમ-સિરીઝ રાઇફલ્સ
– 4 રાઇફલ મેગેઝિન
– 2 ચાઇનીઝ-મેઇડ પિસ્તોલ
– 3 પિસ્તોલ મેગેઝિન
– 2 હેન્ડ ગ્રેનેડ
– અનેક જીવંત કારતૂસ
આ હથિયારોની માત્રા પરથી સ્પષ્ટ થાય છે કે આતંકીઓ મોટા હુમલાની તૈયારીમાં હતા.

મોટા કાવતરાનો પર્દાફાશ
સ્થાનિક પોલીસના કહેવા મુજબ “આ સમયસરની કાર્યવાહીથી એક મોટો આતંકવાદી હુમલો અટકાવાયો છે. જે કોઈ પણ પ્રયાસ કરશે, તેને સુરક્ષા દળો નિષ્ફળ બનાવશે.” રાહદારીઓ મુજબ, આ બંકરનો ઉપયોગ હથિયારો સંગ્રહવા અને આતંકી પ્રવૃત્તિઓની તૈયારી કરવા માટે થતો હતો.

કેસ નોંધાયો, તપાસ ચાલુ
સુરક્ષા દળોએ જપ્ત સામગ્રી નિકાલ કર્યા બાદ કલામાબાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. તપાસ શરૂ થઈ ગઈ છે અને એજન્સીઓ એ નક્કી કરી રહી છે કે આ બંકર કયા આતંકી સંગઠન સાથે જોડાયેલ હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રાજ્યસભામાં જયા બચ્ચન ફરી ભડક્યા: સભાપતિ સાથે ગરમાગરમી, “ફાંસી પર લટકાવી દો” નિવેદનથી માહોલ તંગ

રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન ફરી એકવાર પોતાના ગુસ્સાને કારણે ચર્ચામાં આવ્યા છે. ટ્રાન્સજેન્ડર અધિકાર સંરક્ષણ બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન તેમની અને સભાપતિ વચ્ચે તીવ્ર બોલાચાલી થતા…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: ત્રણ જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે (25 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે.…