PIA એન્જિનિયરોની હડતાળ: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ, પગાર વિવાદ ઉગ્ર

પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ (PIA)ની આંતરરાષ્ટ્રીય સેવાઓ સોમવાર રાત્રે 8 વાગ્યાથી સ્થગિત થઈ ગઇ છે. એન્જિનિયરો પગાર વધારાની માંગ સાથે અચાનક કામ બંધ કરવાના કારણે મુસાફરોને એરપોર્ટ પર લાંબા સમય રાહ જોવી પડી રહી છે. લાહોરથી મદીના, ઇસ્લામાબાદથી જેદ્દાહ અને કરાચી જતી ફ્લાઇટ્સ પ્રભાવિત થઇ છે.

8 વર્ષનો પગાર વિવાદ:
સોસાયટી ઓફ એરક્રાફ્ટ એન્જિનિયરો ઓફ પાકિસ્તાન (SAEP)એ જણાવ્યું કે છેલ્લા 8 વર્ષથી તેમની પગાર વધારો થયું નથી. ઘણા મહિનાઓ એન્જિનિયરો કાળી પટ્ટી પહેરીને કામ કરે છે, પરંતુ મેનેજમેન્ટની નકારાત્મકતા પગાર વધારાના હેતુને રોકી રહી છે, જેના કારણે હડતાળ ફરજિયાત બની.

મેનેજમેન્ટની ચેતવણી:
PIAના CEOએ આ હડતાળને ગેરકાયદેસર જાહેર કરી છે. હડતાળ ચાલુ રાખનાર એન્જિનિયરો સામે કડક કાનૂની કાર્યવાહી થશે. PIAના પ્રવક્તાએ જણાવ્યું કે હડતાળ પાછળનો હેતુ એરલાઇનની ખાનગીકરણ પ્રક્રિયાને અટકાવવાનો છે.

ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાની કોશિશ:
મેનેજમેન્ટ હવે બીજી એરલાઈન પાસેથી એન્જિનિયરિંગ સહાય લઇને ટૂંક સમયમાં ફ્લાઇટ્સ ફરી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કરોડો EPF ખાતાધારકો માટે ખુશખબર: 8.25% વ્યાજદરને મંજૂરી, જૂનમાં ખાતામાં જમા થશે રકમ

દેશના કરોડો કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) થાપણો પર 8.25 ટકા વ્યાજદરને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ…

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…