સંતરામપુરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો, 70 વિદ્યાર્થીઓને કરવામાં આવ્યા સન્માનિત

સલમાન મોરાવાલા, સંતરામપુર/ ગઇકાલે તારીખ 26 ઓક્ટોબર, 2025ના લાભ પંચમના પવિત્ર દિવસે સંતરામપુર ખાતે સંતરામપુર-કડાણા વિકાસ મંડળ દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમારોહમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પૂર્વ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આમંત્રિત મુખ્ય અતિથિ આઇપીએસ સફીન હસન વ્યક્તિગત કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા.

વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા
કાર્યક્રમ દરમિયાન પૂર્વ મંત્રી તથા ઉપસ્થિત માનનીય મહેમાનો દ્વારા સંતરામપુર અને કડાણા તાલુકાના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓના ઉત્તમ શૈક્ષણિક અને અન્ય ક્ષેત્રોમાંના પ્રદાનને માન આપી તેમને ટ્રોફી અને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પ્રસંગે 70 જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, અને સમગ્ર વાતાવરણમાં આનંદ, ગૌરવ અને પ્રેરણાની લાગણી છવાઈ ગઈ હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંતરામપુર-કડાણા આદિવાસી વિકાસ મંડળની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રશંસનીય આયોજન કર્યું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…

બિન-લશ્કર તેલના પ્રવાહમાં વધારો થતાં Indiaના આયાત ડેટામાં રશિયન બેરલનો ભાવ ઘટ્યો…

નવી દિલ્હી : ભારતના ક્રૂડ ઓઇલ આયાત બજારમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રશિયન ક્રૂડ India માટે હજુ પણ મહત્વનો સપ્લાયર છે, પરંતુ આયાતના ડેટામાં રશિયન બેરલનો દેખાતો હિસ્સો ઘટતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ, ઓળખ અજ્ઞાત અથવા અન્ય સ્ત્રોત તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા ક્રૂડ ઓઇલના બેરલ્સનો પ્રવાહ વધી રહ્યો છે, જેના કારણે Indiaની વાસ્તવિક રશિયન ઓઇલ ખરીદી અને આયાત ડેટામાં દેખાતી માત્રા વચ્ચેનો તફાવત ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરના Kpler આધારિત આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરના પ્રથમ 14 દિવસમાં ભારતે રશિયા પાસેથી આશરે 1.42 મિલિયન બેરલ પ્રતિદિન (mbpd) ક્રૂડ આયાત કર્યું હતું. આ ઓગસ્ટના સરેરાશ આશરે 2.1 mbpdની સરખામણીએ લગભગ 30 ટકા ઓછું છે. જોકે, સપ્ટેમ્બરનો આ આંકડો પ્રારંભિક છે અને મહિનાના…