મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણને મંજૂરી

દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણ માટે મંજૂરી આપી છે. આ નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં લેવાયો છે અને દેશમાં અનેક પરિવારોના “ઘરનું સપનું” સાકાર થવામાં મદદ કરશે.

આ મંજૂરી કઈ જગ્યાએ માટે છે?
આ મકાનોના નિર્માણ માટેની મંજૂરી 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે છે, જેમાં સમાવિષ્ટ છે:
આસામ, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, મેઘાલય, હરિયાણા, ઓડિશા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ.

યોજના શું છે?
PMAY-Urban 2.0 નો ઉદ્દેશ છે કે શહેરી ગરીબ, મધ્યમ અને નબળા વર્ગના લોકોને પાયાની સુવિધાઓ સાથે પાકા ઘરો મળી રહે.

યોજનાની વિશેષતાઓ:
– 1 સપ્ટેમ્બર 2024થી અમલમાં આવી
– આગામી 5 વર્ષમાં 1 કરોડ નવા ઘર બનાવવાનો લક્ષ્યાંક
– EWS, LIG, MIG કેટેગરીના પરિવારોને લાભ
– ₹2.5 લાખ સુધીની કેન્દ્રીય સહાય
– ખાસ ધ્યાન મહિલાઓના નામે મકાનના માલિકી અધિકાર પર

કોણ છે પાત્ર?
– યોજનાનો લાભ એવા પરિવારોએ લઈ શકશે:
– જેમની વાર્ષિક આવક નીચે મુજબ હોય:
– EWS: ₹3 લાખ સુધી
– LIG: ₹6 લાખ સુધી
– MIG: ₹9 લાખ સુધી
– પરિવારના કોઈ સભ્યના નામે પાકું મકાન ન હોવું જોઈએ
– 8 લાખ સુધીની લોન પર 4% વ્યાજ સબસિડી
– કુલ રૂ. 1.80 લાખ સુધીની રાહત મળી શકે છે

કેન્દ્ર સરકારની ભાવિ યોજના અને અસર
સરકારે જણાવ્યું હતું કે આ વધારાની મંજૂરીથી PMAY (Urban) અંતર્ગત કુલ મકાનોની સંખ્યા હવે 1.18 કરોડને પાર પહોંચી ગઈ છે. આ ઘરો શહેરી વિસ્તારોમાં રહેતા ગરીબો અને મધ્યમ વર્ગ માટે રાહત લાવશે. સાથે જ, રોજગાર, ઇન્ડસ્ટ્રીલ ગ્રોથ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ વેગ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

નોઇડામાં પાંચ માળની બિલ્ડિંગમાં ભીષણ આગ: 2નાં મોત, 100થી વધુ લોકોનું રેસ્ક્યૂ; EV સ્કૂટી ચાર્જિંગ દરમિયાન ઘટના

ઉત્તર પ્રદેશના નોઇડાના સેક્ટર-66 વિસ્તારમાં આવેલી પાંચ માળની રહેણાંક બિલ્ડિંગમાં બુધવારે ભીષણ આગ લાગતા બે લોકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ રહેવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પ્રાથમિક…

કોંગોમાં ઇબોલાનો પ્રકોપ ગંભીર બન્યો: 2,000થી વધુ કેસ, 754 મોત; આરોગ્ય તંત્ર પર વધ્યું દબાણ

આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલા વાયરસનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધી 2,011 ઇબોલાના કેસ નોંધાયા છે, જ્યારે 754 લોકોના મોત થયા છે. વધતા…