ગુજરાતના 11 IAS અધિકારીને બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે જવાબદારી, જાણો લિસ્ટ

બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના કુલ 11 IAS અધિકારીઓને ચૂંટણી ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે બિહાર મોકલવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ માટે અધિકૃત પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યું છે. આ અધિકારીઓના હાલના કાર્યક્ષેત્રનો ચાર્જ અન્ય અધિકારીઓને સોંપવામાં આવ્યો છે.

IAS અધિકારીઓના નામ – બિહારમાં ફરજ માટે નિયુક્ત
બિહારમાં ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે મોકલવામાં આવેલા અધિકારીઓનાં નામો નીચે મુજબ છે:
– વિજય નેહરા
– મિલિન્દ તોરવણે
– ડો. રાહુલ બી. ગુપ્તા
– રાજેશ માંજુ
– રાજકુમાર બેનિવાલ
– આલોક કુમાર પાંડે
– સંદિપ સાંગ્લે
– ડો. ધવલ પટેલ
– નાગરાજન એમ.
– વી.જે. રાજપૂત
– હર્ષિત પી. ગોસાઈ

અધિકારીઓના ચાર્જ સોંપાયો બીજા અધિકારીઓને
ઉપરોક્ત અધિકારીઓની જગ્યાએ તેમના વિભાગનો ચાર્જ નીચેના અધિકારીઓને આપવામાં આવ્યો છે:
– ડો. રાજેન્દ્ર કુમાર
– સંજીવ કુમાર
– બી.એ. શાહ
– રેમ્યા મોહન
– જેનું દેવન
– પ્રભવ જોશી
– આઈ.આર. વાળા
– પી. સ્વરૂપ
– ડો. રતનકંવર ગઢવીચારણ
– કુ. આઈ. વી. પટેલ
– વી.કે. જાદવ
– નીતિન સાંગવાન

ચૂંટણી કામગીરી માટે તંત્ર તત્પર
ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને શુદ્ધતા જળવાઈ રહે તે માટે આવી ઉચ્ચ કક્ષાની નિમણૂકો કરવામાં આવે છે. ગુજરાતના IAS અધિકારીઓની નિમણૂંક એ દર્શાવે છે કે રાજ્યના અધિકારીઓ પર વિશ્વસનીયતા અને કાર્યક્ષમતા બાબતે કેન્દ્ર સરકારનો વિશ્વાસ છે.

બિહારમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 11 IAS અધિકારીઓની નિમણૂક રાજ્ય માટે ગૌરવની વાત છે. આ નિમણૂક તેમની કામગીરી અને તટસ્થતા માટેની ઓળખ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના હવે નહીં મળે કોઈપણ પ્રકારની સિરપ, કેન્દ્ર સરકારે બદલ્યો વર્ષો જૂનો નિયમ

દવાઓના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેમના દુરુપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા નવા નિયમો અનુસાર હવે ખાંસીની દવા…