વૈષ્ણોદેવી દર્શન માટે જનાર ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર, યાત્રા 7 ઑક્ટોબર સુધી સ્થગિત

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રા તાત્કાલિક અસરથી 7 ઑક્ટોબર 2025 સુધી માટે સ્થગિત કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભક્તોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પ્રદેશ માટે ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી જારી કરી છે. યાત્રા રૂટ પર ભેજ અને ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં રાખીને યાત્રાને મુલતવી રાખવામાં આવી છે.

શ્રદ્ધાળુઓ માટે અગત્યની માહિતી:
– યાત્રા 5 ઓક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી બંધ રહેશે.
– ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં લઈને ટ્રેક પર તમામ પ્રવેશ નિયંત્રિત કરવામાં આવ્યો છે.
– શ્રાઈન બોર્ડએ ભક્તોને ભલામણ કરી છે કે તેઓ નવી તારીખો અંગે પુષ્ટિ કર્યા વગર યાત્રા પર ન જાય.
– IMD અનુસાર, પ્રદેશમાં આગામી કેટલાય દિવસો સુધી અવિરત વરસાદ અને મૌસમ બગડવાની શક્યતા છે.

છેલ્લા ભયાનક ઘટનાનો પગથિયે નિર્ણય:
26 ઓગસ્ટ, 2025ના રોજ અર્ધકુવારી નજીક ભારેથી ભૂસ્ખલન થયો હતો જેમાં 34 લોકોના મોત અને 20થી વધુ ઘાયલ થયા હતા. ત્યારબાદ યાત્રા 22 દિવસ સુધી બંધ રહી હતી અને 17 સપ્ટેમ્બરે પુનઃશરૂ કરવામાં આવી હતી. એ પછીથી શ્રાઈન બોર્ડે હવામાનના દરેક એલર્ટ પર તાત્કાલિક પગલાં લેવાનું નક્કી કર્યું છે.

માચૈલ યાત્રા પણ સ્થગિત
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આવેલું માચૈલ માતા મંદિર, જ્યાં દર વર્ષે હજારો યાત્રાળુઓ પગપાળા યાત્રા કરે છે, ત્યાં પણ મોસમ બગડતાં યાત્રા ત્રણ દિવસ માટે સ્થગિત કરાઈ છે.

યાત્રાળુઓ માટે સૂચનાઓ:
– યાત્રા પર જવાની યોજના હોય તો તાત્કાલિક અસરથી રદ કરો.
– શ્રાઈન બોર્ડ અને હવામાન વિભાગ દ્વારા અપડેટ્સ તપાસતા રહો.
– મુસાફરી પહેલાં સ્થાનિક તંત્રની મંજૂરી અને માહિતી લેવા વિનંતી છે.

Related Posts

CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક સંપન્ન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક નાયબ મુખ્યમંત્રીશ્રી અને કાઉન્સિલના વાઈસ ચેરમેન હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા…

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *