સબરીમાલા મંદિરના 4 કિલો સોનાના ગુમ થતાં મામલે વિવાદ ઘેરાયો, હાઈકોર્ટે દેવસ્વોમ બોર્ડને આપ્યો ઠપકો

કેરળ રાજ્યના વિશ્વપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં 4 કિલોગ્રામ સોનાના ગુમ થવાના મામલાએ તીવ્ર ચકચાર મચાવી છે. આ કેસ હવે માત્ર “ચોરી” પુરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ મંદિર સંચાલન હેઠળના ટ્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) દ્વારા સંભવિત બેદરકારી અને ગેરવહીવટના ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

ચોરી નહીં… પણ ‘ફરિયાદી’ના ઘરમાંથી મળ્યું સોનું!
27 સપ્ટેમ્બરના રોજ TDBની વિજિલન્સ શાખાએ જે 4 કિલો જેટલું ગુમ સોનું શોધી કાઢ્યું હતું, તે ક્યાંક બહારના ચોરના ઘરમાંથી નહિ, પરંતુ ફરિયાદ કરનાર ઉન્નીકૃષ્ણન પોટ્ટીના બાંધવના ઘરમાંથી મળ્યું. પોટ્ટી એ જ વ્યક્તિ છે જેમણે સૌપ્રથમ મંદિરમાંથી મૂર્તિઓના ઢાળ અને સોનાના ભાગ ગુમ થયાની ફરિયાદ દાખલ કરી હતી.

હાઈકોર્ટનો તીવ્ર ઠપકો
કેરળ હાઈકોર્ટની બેન્ચે 29 સપ્ટેમ્બરના રોજ થયેલી સુનાવણી દરમિયાન આ મામલે કડક ટિપ્પણીઓ કરતાં કહ્યું:
– TDBએ મંદિરની કિંમતી વસ્તુઓનું યોગ્ય રીતે રજીસ્ટર રાખ્યું નહોતું.
– દ્વારપાલક મૂર્તિઓ અને પીડમ જેવી મહત્વની વસ્તુઓનો કોઈ અધિકૃત રેકોર્ડ નહોતો.
– જૂની મૂર્તિઓમાંથી સોનું કાઢી નવીમાં મૂકતી વખતે વજન નોંધાયું નહોતું, જે ‘ઇરાદાપૂર્વકની ગેરરીતિ’ સમજી શકાય છે.
– કોર્ટે આ મામલાને ગંભીર માનતાં મંદિરની તમામ કિંમતી વસ્તુઓની સંપૂર્ણ ઇન્વેન્ટરી તથા મૂલ્યાંકન કરવા અને જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તપાસ આદેશિત કરી છે.

1999થી રેકોર્ડ ગુમ, હવે ખુલાસાની માગ
વર્ષ 1999માં મંદિરની છત પર સોનાનો ઢાળ લગાવવામાં આવ્યો હતો, જેમાં લગભગ 30 કિલો સોનું વપરાયેલું હોવાનું જણાવાયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ કામનો કોઈ સત્તાવાર રેકોર્ડ તંત્ર પાસે ઉપલબ્ધ નથી.

દેશભરમાં મંદિરોના સોનાના કૌભાંડના પડઘા
આ ઘટનાએ અન્ય ધર્મસ્થળોમાંથી પણ આવી જ ઘટનાઓ યાદ અપાવી છે. હાલમાં જ જ્યોતિર્મઠના શંકરાચાર્યએ કાશી વિશ્વનાથ અને કેદારનાથ મંદિરમા પણ સોનાના કૌભાંડ થયા હોવાનું જાહેરમાં જણાવ્યું હતું.

તાત્કાલિક પગલાં
– મંદિરની તમામ મૂર્તિઓ, પીડમ અને ઢાળ જેવા ભાગોની સંપૂર્ણ ચકાસણી
– TDBના તમામ રજિસ્ટરો અને પુરાવાઓ જપ્ત
– તપાસમાં નિષ્ણાતોની નિમણૂક અને હાઈકોર્ટ દ્વારા મોનિટરિંગ

સબરીમાલા મંદિરનો સોનાનો વિવાદ માત્ર ગુમ સોનાની શોધ પૂરતો નથી – એ મંદિર સંચાલન તંત્રની જવાબદારી, રેકોર્ડકીપિંગની ગેરરીતિ અને ભક્તોની શ્રદ્ધા સાથે થયેલા વિશ્વાસઘાતનો મોટો મુદ્દો બની ગયો છે. હવે જોવાનું એ છે કે હાઈકોર્ટની દેખરેખ હેઠળ તપાસ કેટલો ઊંડાણપૂર્વક થાય છે અને શું વાસ્તવમાં દોષિત તત્વો સામે કડક પગલાં લેવાય છે કે નહીં.

Related Posts

VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.

“રામોલમાં જમીન વિવાદ: બિલ્ડર પર હુમલો થતા ચકચાર”

અમદાવાદઃ રામોલમાં એક શખ્સ પર હુમલાની ઘટના.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા શખ્સ પર હુમલો.CTM વિસ્તારમાં બન્યો બનાવ
ભાગીદારના પુત્રએ હથોડા વડે કર્યો હુમલો.રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.પોલીસે હાથ ધરી વધુ તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *