મણિપુરમાં મ્યાનમાર સરહદ નજીક ભારતીય સેનાનું મોટું ઓપરેશન, 10 ઉગ્રવાદીઓ ઠાર માર્યા

બુધવારે મણિપુરના ચંદેલ જિલ્લામાં આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ, જેમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સેનાના અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે મ્યાનમાર સરહદ પર ન્યૂ સમતાલ ગામ નજીક શંકાસ્પદ સશસ્ત્ર ઉગ્રવાદીઓની હિલચાલ અંગે વિશ્વસનીય ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી શેર કરતા, ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડે જણાવ્યું હતું કે 14 મેના રોજ, આસામ રાઇફલ્સના એક યુનિટે સ્પીયર કોર્પ્સ હેઠળના ખેંગજોય તહસીલના ન્યૂ સમતલ ગામમાં આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તાર ભારત-મ્યાનમાર આંતરરાષ્ટ્રીય સરહદની નજીક છે, જે ઘણીવાર ઉગ્રવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહે છે.

સેનાના જણાવ્યા અનુસાર, “ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકોએ વિસ્તારને ઘેરી લીધો, ત્યારે શંકાસ્પદ ઉગ્રવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જવાબમાં, સૈનિકોએ સંયમ અને રણનીતિ સાથે ગોળીબાર કર્યો. આ એન્કાઉન્ટરમાં 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા છે.” સેનાએ એમ પણ કહ્યું કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ કામગીરીને ‘કેલિબ્રેટેડ’ એટલે કે આયોજનબદ્ધ અને ચોક્કસ તરીકે વર્ણવવામાં આવી છે.

સર્ચ ઓપરેશન હજુ પણ શરૂ
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં વધુ ઉગ્રવાદીઓ છુપાયેલા હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ સૈનિક ઘાયલ થયાના સમાચાર નથી. મણિપુરમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહીને એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  b_india.digital

Related Posts

ઈંધણ સંકટ વચ્ચે HPCL પર ગંભીર આરોપ: ડીલરોને મોંઘું ‘પાવર પેટ્રોલ’ વેચવા દબાણ કરાતું હોવાનો CIPDનો દાવો

દેશમાં ઈંધણ સંકટ અને વૈશ્વિક સ્તરે વધતી અસ્થિરતા વચ્ચે હવે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) સામે ગંભીર આરોપો સામે આવ્યા છે. દેશભરના પેટ્રોલ ડીલરોની સંસ્થા ‘કન્સોર્ટિયમ ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ડીલર્સ’…

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ફરજિયાત: દેશભક્તિ વધારવા સરકારનો મોટો નિર્ણય

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સવારની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *