OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા

ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક વસ્તીને નિશાન બનાવી છે.

ડારએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “ભારતનું આ કૃત્ય યુદ્ધસમાન છે,” અને મુરિદકે, બહાવલપુર, તેમજ આઝાદ જમ્મુ-કાશ્મીરના કોટેલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. તેમણે ભારત પર સ્ટેન્ડઓફ હથિયારોથી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો.

પાકિસ્તાને આ કાર્યવાહી યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇશાક દાર એ જણાવ્યું કે “ભારતના આકસ્મિક અને અણધાર્યા હુમલાથી બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષનો જોખમ વધી ગયો છે.”

ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની દૈનિક હવાઈ વાહન વ્યવહાર પર પણ અસર થવાની શક્યતા જણાઈ રહી છે.

Related Posts

કતારના રાસ લફાન LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 13નાં મોત, અનેક ભારતીયો અસરગ્રસ્ત

કતરના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ઉત્પાદન કેન્દ્રોમાંથી એક એવા રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થયેલા ભીષણ વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો સહિત…

તાઇવાનની આસપાસ ચીનની વધતી સૈન્ય ગતિવિધિથી તણાવ વધ્યો, ફાઇટર જેટ્સ અને યુદ્ધજહાજોની તૈનાતી

ચીન અને તાઇવાન વચ્ચેનો લાંબા સમયથી ચાલી રહેલો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં તાઇવાનની આસપાસ ચીનની સૈન્ય ગતિવિધિઓમાં નોંધપાત્ર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *