OPERATION SINDOOR: ભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાના નાયબ વડાપ્રધાન ઇશાક દારે મગરના આંસુ વહાવ્યા

ભારતની તાજેતરની કાર્યવાહી બાદ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક દાર એ ભારત પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખાને પાર કરીને નાગરિક વસ્તીને નિશાન બનાવી છે.

ડારએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે “ભારતનું આ કૃત્ય યુદ્ધસમાન છે,” અને મુરિદકે, બહાવલપુર, તેમજ આઝાદ જમ્મુ-કાશ્મીરના કોટેલી અને મુઝફ્ફરાબાદ વિસ્તારમાં થયેલા હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત અનેક નાગરિકોના મોત થયા છે. તેમણે ભારત પર સ્ટેન્ડઓફ હથિયારોથી પાકિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરવાનો આક્ષેપ કર્યો.

પાકિસ્તાને આ કાર્યવાહી યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાના ધોરણોનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. ઇશાક દાર એ જણાવ્યું કે “ભારતના આકસ્મિક અને અણધાર્યા હુમલાથી બંને પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષનો જોખમ વધી ગયો છે.”

ભારત તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચેની દૈનિક હવાઈ વાહન વ્યવહાર પર પણ અસર થવાની શક્યતા જણાઈ રહી છે.

Related Posts

મુઘલો અને અંગ્રેજો કેમ ગોવા ન જીતી શક્યા? જાણો રસપ્રદ ઈતિહાસ

ભારતના ઈતિહાસમાં અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, પરંતુ Goaનું સ્થાન હંમેશાં અનોખું રહ્યું છે. દેશના મોટા ભાગ પર શાસન કરનાર Mughal Empire અને બાદમાં British Empire હોવા છતાં ગોવા લાંબા સમય સુધી તેમની પહોંચ બહાર રહ્યું હતું.

અગમ્ય કારણે આગ લાગી, ઘરની સાથે નસીબ પણ બળીને ખાખ

કહેવુ સહેલું હોય છે કે રાખમાંથી બેઠો થાય તે માનવી અને અમે તો ફિનિક્સ પક્ષી સમાન છીએ જે રાખમાંથી પુન:ઉત્પન થાય છે. જ્યારે પ્રશ્ન ધરતી પરનાં પોતાનાં સ્વર્ગ એવા પોતાનાં ઘરનો હોય ત્યારે આ તમામ વાતો સુફિયાણી જ લાગે. જે લોકો કોઇ પણ વાંક ગુના વિના જ પોતાનું ઘર ગુમાવી દેતા હોય છે તેની મનોદશા આવી સુફિયાણી વાતોને લઇને અકલ્પનીય થઇ જાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *