આવતીકાલે 10:30એ ધોરણ 12 અને GUJCET 2025નું પરિણામ જાહેર થશે! પરિણામ તમે જોઈ શકશો આ રીતે..

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 અને GUJCET 2025ના પરિણામો 5 મે, 2025ના રોજ સવારે 10:30 કલાકે જાહેર કરવામાં આવશે. આ જાહેરાત શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે એક્સ (Twitter) પર પોસ્ટ દ્વારા કરી છે.

 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન, સામાન્ય, વ્યવસાયલક્ષી અને અન્ય પ્રવાહો સહિત GUJCET 2025નું પરિણામ આવતીકાલે તારીખ 5 મે, 2025ના રોજ સવારના 10:30 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરસિંહ ડિંડોરે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025માં લેવામાં આવી હતી અને હવે વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે.

 

વિદ્યાર્થીઓ તેમના પરિણામ માટે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઈ શકશે. સાથે જ આ વર્ષે પરીક્ષા માટે વધુ એક સરળ વિકલ્પ આપવામાં આવ્યો છે – હવે વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ તેમનું પરિણામ મેળવી શકશે.

 

આ વર્ષે ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં કુલ 4,23,909 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી, જેમાં નિયમિત, રીપીટર, ખાનગી અને આઇસોલેટેડ કેટેગરીના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,11,384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે.

પરિણામ જાહેર કર્યા બાદ ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓ દ્વારા વિતરણ કરવામાં આવશે. સાથે જ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારણા અને પુનઃપરીક્ષા સંબંધિત તમામ માહિતી શિઘ્રજ જાહેર કરવામાં આવશે. બોર્ડે જણાવ્યુ છે કે વિદ્યાર્થીઓએ માત્ર અધિકૃત માધ્યમોથી જ માહિતી મેળવવી અને કોઇ પણ ગેરસંચારથી બચવું જોઈએ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *