ગુજરાત સ્થાપના દિવસે મોંઘવારીની ભેટ : અમૂલ દૂધના ભાવમાં વધારો, જાણો કેટલા રૂપિયામાં મળશે એક લિટર દૂધ

અમૂલ દૂધના ભાવમાં વધારો: ગ્રાહકોને અનેક વેરિઅન્ટમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને 500 મિલી દીઠ 1 રૂપિયાનો વધારો જોવા મળશે.

 

અમુલ દૂધના ભાવ: મધર ડેરી પછી, પ્રખ્યાત અમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. વધેલી કિંમતો ગુરુવાર (01 મે, 2025) થી અમલમાં આવશે. અમૂલે જાહેરાત કરી છે કે તે તેના દૂધના ઉત્પાદનોના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરી રહી છે, જે આવતીકાલે સવાર, 1 મેથી અમલમાં આવશે. આ ભાવ વધારો અમૂલ મિલ્કના વિવિધ પ્રકારો પર લાગુ થશે.વધેલા ભાવ અમૂલ સ્ટાન્ડર્ડ મિલ્ક, બફેલો મિલ્ક, ગોલ્ડ, સ્લિમ એન્ડ ટ્રીમ, ટી-સ્પેશિયલ, તાઝા અને ગાયના દૂધ જેવા મુખ્ય ઉત્પાદનોને અસર કરશે. ભેંસનું ફુલ ક્રીમ દૂધ જે પહેલા ૩૬ રૂપિયામાં 500 મિલી મળતું હતું તે હવે 37  રૂપિયામાં મળશે. જો 1 લિટર દૂધ ખરીદવામાં આવે તો તે 74 રૂપિયામાં મળશે. મધર ડેરી દ્વારા આવા જ ભાવ વધારા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. મધર ડેરીએ બુધવાર, ૩૦ એપ્રિલ, ૨૦૨૫ થી દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો.

Amul Milk Price Hike: अमूल दूध हुआ महंगा, मंगलवार से 2 रुपये प्रति लीटर  बढ़ेगी कीमत

મધર ડેરીએ ફુલ ક્રીમ, ટોન્ડ, ડબલ-ટોન્ડ અને ગાયના દૂધ સહિત તમામ પ્રકારના દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી હતી. મધર ડેરીના ફુલ ક્રીમ દૂધનો ભાવ 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા પ્રતિ લિટર થયો છે.ઉનાળાની સીઝન અને અન્ય કારણોને લીધે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી પ્રેરિત અમુલ પાર્લર પર દૂધના વિવિધ ઉત્પાદનોમાં સૌથી વધુ માગ દૂધની છે.દૂધ ઉત્પાદકોના જણાવ્યા મુજબ, તાજી ઘાસ-ચારા, પશુઆહાર અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી ગયા હોવાથી કંપનીએ ભાવ વધારવાનો નિર્ણય લીધો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

૧૪૯મી રથયાત્રા: અમદાવાદ પોલીસનું ‘ઝીરો ટોલરન્સ’ અભિયાન, સુરક્ષા વ્યવસ્થા સજ્જ.

અમદાવાદ રથયાત્રા ૨૦૨૬: સુરક્ષાનું અભેદ્ય ‘ત્રિ-સ્તરીય’ કવચ, હજારો પોલીસ જવાનો અને આધુનિક ટેકનોલોજી સાથે અમદાવાદ પોલીસ સજ્જ! અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. લાખો ભક્તોની…

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ બાદ લીઝ કરાર રદ, જાણો શું છે સરકારનો નિર્ણય.

ગાંધીનગર ઈન્ફોસિટી: ૨૦૩૦ પછી લીઝ રિન્યુ નહીં કરવાનો સરકારનો માસ્ટરપ્લાન – આઈટી હબના ભવિષ્ય પર પ્રશ્નાર્થ? ગાંધીનગર: રાજ્યના આઈટી અને કોર્પોરેટ જગતનું કેન્દ્ર ગણાતી ગાંધીનગરની ઈન્ફોસિટી અંગે ગુજરાત સરકારે અત્યાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *