મન ફાવે ત્યારે Dolo 650 લેતા હો તો ચેતજો! સ્વાસ્થ્ય પર થઈ શકે છે ગંભીર અસર

ભારતમાં Dolo 650 નામની ટેબ્લેટ ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. તાવ કે શરીરના દુખાવા સમયે લોકો તેનું સેવન એટલી સહેલાઈથી કરે છે કે જાણે કે તે કોઈ સામાન્ય કૅન્ડી હોય. પણ શું તમે જાણો છો કે ડૉક્ટરની સલાહ વિના લેવાયેલી Dolo 650 તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે?

Dolo 650 શું છે?
Dolo 650 એ પેરાસીટામોલ આધારિત દવા છે, જે તાવ અને સામાન્ય દુખાવા માટે આપવામાં આવે છે. પણ એક નિશ્ચિત માત્રામાં અને ડૉક્ટરની માર્ગદર્શન હેઠળ જ તેનું સેવન કરવું જોઈએ.

Dolo 650ની આડઅસરો
1. અંતરડાને નુકસાન:
જાતે જ દવા લેતા આંતરડાના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. પેટમાં દુખાવો, ગેસ, અપચો જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

2. થાક અને નબળાઈ:
કેટલાક લોકોમાં આ દવાથી વધુ ઉંઘ, થાક અને શરીરમાં નબળાઈ આવી શકે છે.

3. ઉલટી અને ઉબકા:
જેઓને પેરાસીટામોલ સહન ન થાય, તેમને ઉલટી, ઉબકા અને પાચન તંત્રની સમસ્યાઓ થઈ શકે છે.

4. ચક્કર અને લો બ્લડ પ્રેશર:
વારંવાર ઉપયોગ કરવાથી બીપી ઘટી શકે છે, અને ચક્કર આવવા લાગે છે.

જાતે દવા લેવી – ખોટી ટેવ
ભારત જેવા દેશમાં મોટાભાગના લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના દવાઓ લઈ લે છે. પણ Dolo 650 જેવી દવા રોજબરોજમાં અને મનફાવે ત્યારે લેવાથી શરીરના અંગો પર નુકસાનકારક અસરો પડી શકે છે, ખાસ કરીને લિવર અને કિડની પર.

શું કરવું જોઈએ?
– હંમેશા Dolo 650 લેતા પહેલા ડૉક્ટરનો સલાહ લો
– કોઈ પણ તાવ કે દુખાવાની શરુઆતમાં તરત દવા ન લો, પહેલાં તાપમાન ચેક કરો
– તાવ સતત વધી રહ્યો હોય કે 3 દિવસથી વધુ રહે, તો તબીબી તપાસ કરાવવી જરૂરી છે

Related Posts

અમદાવાદ તિરંગા યાત્રા: 284 AMTS બસોના રૂટ બદલાયા Important Update

અમદાવાદમાં તિરંગા યાત્રાને લઈને મોટું ટ્રાફિક ડાયવર્ઝન: 12 ઓગસ્ટે 284 AMTS બસોના રૂટ બદલાશે, જાણો કયા વાહનચાલકોએ ખાસ ધ્યાન રાખવું  અમદાવાદમાં 12 ઓગસ્ટે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રાને પગલે 38 રૂટની 284 AMTS બસોના માર્ગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો ટ્રાફિક ડાયવર્ઝન અને નાગરિકો માટેની સૂચનાઓ.અમદાવાદ શહેરમાં 12 ઓગસ્ટે ભવ્ય તિરંગા યાત્રા યોજાવાની હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગ અને તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે 38 રૂટ પર દોડતી 284 AMTS બસોના માર્ગો ડાયવર્ટ કરવામાં આવ્યા છે.આ ટ્રાફિક ડાયવર્ઝનના કારણે રોજિંદા મુસાફરોને પોતાની મુસાફરીનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી…

Jharkhand Rahul Gandhi On Jharkhand Police Lathicharge 2026 રાહુલ ગાંધી ઝારખંડ નિવેદન: ઝારખંડમાં વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ મુદ્દે રાહુલ ગાંધીનો વિરોધ, કહ્યું- આ ખોટું છે Strong Opposition

Jharkhand ઝારખંડમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે વિદ્યાર્થીઓ પર બળપ્રયોગને ખોટો ગણાવી સરકાર પાસે જવાબદારી અને ન્યાયની માંગ કરી. Jharkhand ઝારખંડમાં પરીક્ષા અને ભરતી સંબંધિત મુદ્દાઓને લઈને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજકીય માહોલ ગરમાયો છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સામે પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના અહેવાલો બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગને ખોટું ગણાવતા કહ્યું છે કે પોતાની માંગણીઓ માટે અવાજ ઉઠાવી રહેલા યુવાનો સાથે દમનાત્મક વલણ અપનાવવું યોગ્ય નથી. આ ઘટનાને કારણે ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનનો મુદ્દો હવે રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે. એક તરફ વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રક્રિયા અને ભરતી સંબંધિત પોતાની માંગણીઓ સાથે રસ્તા પર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *