ઈરાનના બંદર અબ્બાસમાં ભયંકર વિસ્ફોટ, ચાર લોકોના મોત… 500 થી વધુ ઘાયલ

શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જે બાદ બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ બંદર અબ્બાસ શહેરના રાજાઈ બંદર પર થયો હતો.

શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં ભયંકર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જે બાદ બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિસ્ફોટને કારણે બારીઓના કાચ તૂટયા
ઈરાનના કસ્ટમ્સ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારનો વિસ્ફોટ સિના કન્ટેનર યાર્ડમાં થયો હતો, જે પોર્ટ્સ અને મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલ છે. દરમિયાન, ઈરાનના સરકારી ટેલિવિઝનએ જણાવ્યું હતું કે શરૂઆતના અહેવાલોમાં ઘટના સ્થળે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહમાં બેદરકારી દર્શાવવામાં આવી હતી. રાજાઈ બંદર પર થયેલા આ પ્રચંડ વિસ્ફોટને કારણે, ઘણા કિલોમીટર દૂર આવેલા ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા અને ઘરો અને ઓફિસોને ઘણું નુકસાન થયું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ઈરાન યુદ્ધમાં NATO દેશો સહાય નહીં, ટ્રમ્પ ભડક્યા, રશિયા-ચીનને પણ નિશાન

અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન પર ચાલી રહેલા યુદ્ધના 18મા દિવસે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો છે. NATOમાં 32 દેશો સામેલ હોવા છતાં, કોઈ પણ દેશે ઈરાન…

હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજ મોકલવા મુદ્દે ભારતની સ્પષ્ટતા, અમેરિકા સાથે કોઈ દ્વિપક્ષીય ચર્ચા નહીં

સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં સુરક્ષા વધારવા માટે વિવિધ દેશોને પોતાના યુદ્ધ જહાજ મોકલવા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા આહ્વાન પર ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ભારતીય વિદેશ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *