26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો હતો. રાણાએ 26/11 ના આતંકવાદી હુમલાથી પોતાને અલગ કરી લીધા છે. અધિકારીઓએ કહ્યું કે તે દાવો કરી રહ્યો છે કે તે નિર્દોષ છે.
તહવ્વુર હુસૈન રાણાએ કહ્યું કે, તેમને 26/11 ના હુમલા સાથે કોઈ લેવાદેવા નથી. તેણે આ હુમલા માટે તેના બાળપણના મિત્ર ડેવિડ કોલમેન હેડલીને જવાબદાર ઠેરવ્યો. પૂછપરછ દરમિયાન રાણાએ એમ પણ કહ્યું કે મુંબઈ હુમલાના કાવતરામાં તેની કોઈ ભૂમિકા નહોતી. આમાં ડેવિડ હેડલીનો હાથ હતો.
કેરળ અંગે શું કહ્યું !
પૂછપરછ દરમિયાન રાણાએ એમ પણ કહ્યું કે દિલ્હી અને મુંબઈ ઉપરાંત તે કેરળ પણ ગયો હતો. જ્યારે અધિકારીઓએ તેમને કેરળ જવાનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ ત્યાં તેમના પરિચિતોને મળવા ગયા હતા. રાણાએ કેરળમાં તેમના જાણીતા એક વ્યક્તિનું નામ અને સરનામું પણ એજન્સીને આપ્યું છે. આ માહિતી પછી, ક્રાઈમ બ્રાન્ચ હવે રાણાના દાવાઓની પુષ્ટિ કરવાની તૈયારી કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તપાસ એજન્સીની એક ટીમ ટૂંક સમયમાં સત્ય જાણવા માટે કેરળ રવાના થઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






