Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી. ઘટના દરમ્યાન બંને યુવાન રેલવે ટ્રેક પર ચાલતા હતા ત્યારે આવી રહેલી લોકલ ટ્રેનની સીધી ટક્કરથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

મૃતકોની ઓળખ કરવામાં આવી
મૃતકોની ઓળખ સાગર સોનાવણે (ઉ.વ. 20) અને સચિન ટોકડે (ઉ.વ. 35) તરીકે થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને યુવકો ત્યાંથી પસાર થવા દરમિયાન આ દુર્ઘટનાનો શિકાર બન્યા.

પોલીસ તપાસ ચાલુ
આ મામલે જીઆરપી (Government Railway Police) દ્વારા અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાવચેત રહેવા રેલવેની અપીલ
રેલવે વિભાગ તરફથી વારંવાર કરવામાં આવતી અપીલ છતાં ઘણીવાર લોકો શોર્ટકટ તરીકે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે, જેના કારણે આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાય છે. રેલવે વિભાગે ફરી એકવાર લોકોને ટ્રેક પર ન જવાં અને સત્તાવાર ફૂટ ઓવરબ્રિજ કે અન્ડરપાસનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *