Maharashtra: ઐરોલી નજીક લોકલ ટ્રેનની અડફેટે બે યુવાનોના કરૂણ મોત

નવી મુંબઈના ઐરોલી વિસ્તારમાં એક દુઃખદ અકસ્માતમાં બે યુવાનોનું લોકલ ટ્રેનની ટક્કરથી મોત થયું છે. ઘટના મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર રૂટ પર ઐરોલી રેલવે સ્ટેશન નજીક ચિંચપાડા પુલની નીચે બની હતી. ઘટના દરમ્યાન બંને યુવાન રેલવે ટ્રેક પર ચાલતા હતા ત્યારે આવી રહેલી લોકલ ટ્રેનની સીધી ટક્કરથી તેમનું સ્થળ પર જ મોત થયું હતું.

મૃતકોની ઓળખ કરવામાં આવી
મૃતકોની ઓળખ સાગર સોનાવણે (ઉ.વ. 20) અને સચિન ટોકડે (ઉ.વ. 35) તરીકે થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને યુવકો ત્યાંથી પસાર થવા દરમિયાન આ દુર્ઘટનાનો શિકાર બન્યા.

પોલીસ તપાસ ચાલુ
આ મામલે જીઆરપી (Government Railway Police) દ્વારા અકસ્માત મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

સાવચેત રહેવા રેલવેની અપીલ
રેલવે વિભાગ તરફથી વારંવાર કરવામાં આવતી અપીલ છતાં ઘણીવાર લોકો શોર્ટકટ તરીકે ટ્રેક પરથી પસાર થવાનું પસંદ કરે છે, જેના કારણે આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાય છે. રેલવે વિભાગે ફરી એકવાર લોકોને ટ્રેક પર ન જવાં અને સત્તાવાર ફૂટ ઓવરબ્રિજ કે અન્ડરપાસનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

Related Posts

Questions Over Child Rights & Poverty In Gujarat 2026: “ભૂખ્યા ભજન ન થાય”… તો ભૂખ્યા બાળકનું Empowered Youth શિક્ષણ કેવી રીતે થશે?

આઝાદીના 79 વર્ષ પૂર્ણ થવાના આરે પણ બાળમજૂરીની વાસ્તવિકતા દેશભક્તિના પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા બાળકોએ વ્યવસ્થાને પૂછ્યો સવાલ “ભૂખ્યા ભજન ન થાય” — Gujaratની આ કહેવત માત્ર શબ્દો નથી, પરંતુ જીવનની એક કડવી વાસ્તવિકતા છે. પેટની ભૂખ સામે ભક્તિ હોય કે દેશભક્તિ, માણસ માટે સૌથી પહેલાં જીવનની મૂળભૂત જરૂરિયાતો મહત્વની બની જાય છે. 15 ઓગસ્ટ 2026ના રોજ ભારત તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દેશ આઝાદ થયાને 79 વર્ષ પૂર્ણ થશે. આ દિવસ દેશભક્તિ, રાષ્ટ્રગૌરવ અને સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે. પરંતુ આ જ પર્વ વચ્ચે રસ્તા પર તિરંગા વેચતા એક બાળકનું દૃશ્ય અનેક ગંભીર સવાલો ઊભા કરે છે. જૂનાગઢ જિલ્લાના કેશોદમાં સ્વતંત્રતા દિવસ પહેલાં રસ્તા પર તિરંગા વહેંચતા એક બાળકને સ્વતંત્રતા દિવસ…

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *