ફ્રાન્સે 12 અલ્જેરિયન રાજદ્વારીઓ વિરુદ્ધ લીધો મહત્વનો નિર્ણય

ફ્રાંસ અને અલ્જેરિયા વચ્ચે વર્ષોથી ચાલી રહેલા રાજદ્વારી તણાવને નવા વળાંક મળ્યો છે. ફ્રાંસે મંગળવારે જાહેરાત કરી કે તેણે અલ્જેરિયાના 12 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે ફ્રાંસે અલ્જેરિયામાં તૈનાત પોતાના રાજદૂતને પણ વાટાઘાટ માટે પૅરિસ પાછા બોલાવ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યાલયના જણાવ્યા મુજબ, આ નિર્ણય “દુર્લભ પરંતુ જરૂરી” હતો. અલ્જેરિયાના અધિકારીઓમાં એક એવા વ્યક્તિનો સમાવેશ થાય છે, જેના પર ફ્રાંસમાં ‘રાજકીય કાવતરું અને આતંકવાદથી જોડાયેલા આરોપો’ મૂકાયા છે. આ પગલાંને પૂર્વએલ્ચર તરીકે જોવામાં આવી રહ્યું છે, અને તે સ્પષ્ટ સંકેત આપે છે કે દ્વિપક્ષીય સંબંધો ફરીથી તૂટવાના કાંઠે છે.

શું છે તણાવનું મૂળ…?
તણાવનો મૂળ વિષય છે અલ્જેરિયાના વિપક્ષી નેતા અને એક્ટિવિસ્ટ અમીર બુખૌરસ જેને 2024માં ફ્રાંસમાંથી રહસ્યમય રીતે અપહરણ કરી લેવાયા હોવાનો આરોપ છે. બુખૌરસ ફ્રાંસમાં આશ્રય લેતો અને અલ્જેરિયામાં સરકાર વિરોધી પ્રવૃત્તિઓ માટે જાણીતા હતા. ફ્રાંસના તપાસ અધિકારીઓએ આ કેસમાં ત્રણ અલ્જેરિયન નાગરિકોને અરેસ્ટ કર્યા છે જેમાંથી એક પૅરિસ સ્થિત અલ્જેરિયાના કોન્સ્યુલેટમાં કાર્યરત અધિકારી છે. તેમના પર અપહરણ, આતંકવાદી કાવતરું અને વિદેશી ભૂમિ પર ગુપ્તચર પ્રવૃત્તિઓ જેવા ગંભીર આરોપ મૂકાયા છે. અલ્જેરિયા આ આરોપોને રાજકીય કહે છે અને કહ્યું કે “ફ્રાંસ દેશની આંતરિક બાબતમાં દખલ કરી રહ્યો છે”. તેની પ્રતિસાદરૂપે અલ્જેરિયાએ પણ ફ્રેન્ચ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.

હજુ પણ ઘણા કારણો ઘર્ષણના
અલ્જેરિયા અને ફ્રાંસ વચ્ચેના સંબંધો એ માત્ર હાલના રાજદ્વારી વિવાદ સુધી મર્યાદિત નથી. બંને દેશોનો ઈતિહાસ લાંબો અને ઘણીવાર સંઘર્ષસભર રહ્યો છે. અલ્જેરિયા 1830થી 1962 સુધી ફ્રાંસની વસાહત રહ્યો હતો. 1962માં તેમને સ્વતંત્રતા મળી હતી, પણ ત્યારથી સતત સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય તણાવ રહ્યા છે. ગયા વર્ષે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોએ જ્યારે મોરોક્કોને પશ્ચિમી સહારા મુદ્દે ટેકો આપ્યો, ત્યારે પણ અલ્જેરિયા દુઃખી થયું હતું. અલ્જેરિયા પશ્ચિમી સહારાને સ્વતંત્ર રાજ્ય તરીકે માને છે, જ્યારે મોરોક્કો તેને પોતાનું અંગ ગણાવે છે. આ સ્થિતિએ પણ સંબંધોમાં તીખાશ લાવી હતી.

હવે, તાજેતરના ઘટનાઓથી સ્પષ્ટ છે કે જો બંને દેશો સમયસર વાટાઘાટો અને ડાયલોગની યાત્રા શરૂ નહીં કરે, તો આ તણાવ લાંબો ચાલે તેવાં સંકેત મળી રહ્યા છે. વિશ્લેષકો કહે છે કે આવી સ્થિતિ યુરોપ-ઉત્તર આફ્રિકા સંબંધોને પણ અસર કરી શકે છે.

Related Posts

કેરળના મુખ્યમંત્રીના નામ પર સસ્પેન્સ સમાપ્ત થવાની તૈયારી, રાહુલ-ખડગે વચ્ચે મહત્વપૂર્ણ બેઠક

રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે વચ્ચે કેરળના મુખ્યમંત્રી પદને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક બાદ હવે રાજ્યના આગામી મુખ્યમંત્રીના નામ અંગેનો સસ્પેન્સ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા વ્યક્ત કરવામાં…

NEET પેપર લીક કેસમાં CBIની મોટી કાર્યવાહી, 5 આરોપીઓની ધરપકડ

દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET Paper Leak Case મામલે તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ સફળતા મળી છે. Central Bureau of Investigation (CBI)એ અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. માહિતી અનુસાર ધરપકડ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *