PBKS vs KKR: પંજાબે કોલકાત્તાને હરાવ્યું, તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં એક ઐતિહાસિક મેચ જોવા મળી. યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન આપ્યું અને માત્ર 111 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક બચાવ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 16 રનથી જીત હાંસલ કરી. મેચ દરમિયાન પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. તેમનો ઈનિંગ માત્ર 15.3 ઓવરમાં 111 રન પર સમાપ્ત થયો હતો. જવાબમાં, KKRની ટીમ 15.1 ઓવરમાં 95 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે પંજાબે IPL ઇતિહાસમાં સૌથી ઓછા લક્ષ્યાંકનો સફળ બચાવ કર્યો છે.

CSKનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
આ જીત સાથે પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો 2009માં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009માં, ડરબનમાં CSKએ પંજાબ સામે 117 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો હતો, ત્યારે પંજાબની ટીમ 92 રન પર ઓલઆઉટ થઈ હતી. હવે પંજાબે માત્ર 112 રનનું લક્ષ્યાંક આપીને પણ જીત મેળવી છે.

ચહલનો જાદૂ
મેચના હીરો બન્યા યુઝવેન્દ્ર ચહલ, જેમણે 4 ઓવરમાં માત્ર 17 રનમાં 4 વિકેટ લીધી. ચહલની સ્પિન સામે KKRના બેટ્સમેન એક પછી એક પેવિલિયન ભેગા થયા. પાછલા સીઝનમાં પંજાબે KKR સામે IPLના પોતાના ઇતિહાસમાં સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જ્યારે આ વર્ષે સૌથી નાનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો. બંને ટીમો વચ્ચેની મેચો હંમેશા રોમાંચક રહી છે.

IPLમાં સૌથી ઓછો ડિફેન્ડેડ સ્કોર

સ્કોર ટીમ વિરુદ્ધ સ્થળ વર્ષ
111 પંજાબ કેકેઆર મુલ્લાનપુર 2025
116/9 સીએસકે પંજાબ ડર્બન 2009
118 હૈદરાબાદ મુંબઈ મુંબઈ 2018
119/8 પંજાબ મુંબઈ ડર્બન 2009
119/8 હૈદરાબાદ પુણે પુણે 2013

Related Posts

આજનું Rashifal – 16 સપ્ટેમ્બર 2026: જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ, શુભ રંગ અને શુભ અંક….

16 સપ્ટેમ્બર 2026, બુધવારનો દિવસ જ્યોતિષીય દૃષ્ટિએ તમામ 12 રાશિના જાતકો માટે અલગ-અલગ સંકેતો લઈને આવ્યો છે. કોઈ રાશિના જાતકોને કરિયર અને વ્યવસાયમાં નવી તક મળી શકે છે, તો કોઈએ આજે ખર્ચ અને મહત્વપૂર્ણ નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. પરિવાર, સંબંધો, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોને લઈને પણ આજનો દિવસ વિવિધ પ્રકારના અનુભવ આપી શકે છે. આજનું Rashifal સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે. વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. ચાલો જાણીએ મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ માટે આજનું ભવિષ્યફળ, શુભ રંગ અને શુભ અંક. મેષ રાશિ આજે મેષ રાશિના જાતકો માટે દિવસ ઉત્સાહથી ભરેલો રહી શકે છે. કામકાજમાં નવી જવાબદારી મળી શકે છે અને લાંબા સમયથી અટકેલું કામ આગળ વધી શકે છે. વેપારીઓ માટે નવા…

WCEF 2026 In Gandhinagar: કચરામાંથી કરોડોની કમાણી.. Innovative Waste-to-Wealth..

Gandhinagarમાં ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-2026’નો ભવ્ય પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં WCEF-2026નું ઉદ્ઘાટન; 66 દેશોના 2,000થી વધુ પ્રતિનિધિઓ બન્યા સહભાગી Gandhinagar, 15 સપ્ટેમ્બર : પર્યાવરણ સંરક્ષણ સાથે આર્થિક વિકાસને જોડીને ટકાઉ ભવિષ્યના નિર્માણ માટે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ગણાતા ‘વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ (WCEF)-2026’નો Gandhinagarના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ફોરમની 10મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયામાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વૈશ્વિક ફોરમમાં અંદાજે 66 દેશોના 2,000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો અને ઉદ્યોગસાહસિકો ભાગ લઈ રહ્યા છે. ચાર દિવસ સુધી ચાલનારા આ ફોરમમાં સર્ક્યુલર ઇકોનોમી, વેસ્ટ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ, સંસાધનોના કાર્યક્ષમ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *