PBKS vs KKR: પંજાબે કોલકાત્તાને હરાવ્યું, તોડ્યો 16 વર્ષ જૂનો રેકોર્ડ

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025માં એક ઐતિહાસિક મેચ જોવા મળી. યુઝવેન્દ્ર ચહલના નેતૃત્વમાં પંજાબ કિંગ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન આપ્યું અને માત્ર 111 રનના લક્ષ્યાંકનો સફળતાપૂર્વક બચાવ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 16 રનથી જીત હાંસલ કરી. મેચ દરમિયાન પંજાબે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. તેમનો ઈનિંગ માત્ર 15.3 ઓવરમાં 111 રન પર સમાપ્ત થયો હતો. જવાબમાં, KKRની ટીમ 15.1 ઓવરમાં 95 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે પંજાબે IPL ઇતિહાસમાં સૌથી ઓછા લક્ષ્યાંકનો સફળ બચાવ કર્યો છે.

CSKનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
આ જીત સાથે પંજાબે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો 2009માં બનાવેલો રેકોર્ડ તોડી નાખ્યો છે. 2009માં, ડરબનમાં CSKએ પંજાબ સામે 117 રનનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો હતો, ત્યારે પંજાબની ટીમ 92 રન પર ઓલઆઉટ થઈ હતી. હવે પંજાબે માત્ર 112 રનનું લક્ષ્યાંક આપીને પણ જીત મેળવી છે.

ચહલનો જાદૂ
મેચના હીરો બન્યા યુઝવેન્દ્ર ચહલ, જેમણે 4 ઓવરમાં માત્ર 17 રનમાં 4 વિકેટ લીધી. ચહલની સ્પિન સામે KKRના બેટ્સમેન એક પછી એક પેવિલિયન ભેગા થયા. પાછલા સીઝનમાં પંજાબે KKR સામે IPLના પોતાના ઇતિહાસમાં સૌથી મોટો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જ્યારે આ વર્ષે સૌથી નાનો લક્ષ્યાંક સફળતાપૂર્વક બચાવ્યો. બંને ટીમો વચ્ચેની મેચો હંમેશા રોમાંચક રહી છે.

IPLમાં સૌથી ઓછો ડિફેન્ડેડ સ્કોર

સ્કોર ટીમ વિરુદ્ધ સ્થળ વર્ષ
111 પંજાબ કેકેઆર મુલ્લાનપુર 2025
116/9 સીએસકે પંજાબ ડર્બન 2009
118 હૈદરાબાદ મુંબઈ મુંબઈ 2018
119/8 પંજાબ મુંબઈ ડર્બન 2009
119/8 હૈદરાબાદ પુણે પુણે 2013

Related Posts

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી

માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે…

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *