રાજ્યસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ રાજ્યસભામાં બિલ રજૂ કરીને તેમના સંબોધનની શરૂઆત કરી છે.
રિજિજુએ કહ્યું કે દેશની આઝાદી પછી, 1954 માં, રાજ્યોમાં વકફ અંગે એક બોર્ડની રચના કરવામાં આવી હતી. આ અંગેનો વિગતવાર કાયદો ૧૯૯૫માં આવ્યો. વકફ અંગે સ્પષ્ટ કાયદા બનાવવામાં આવ્યા. વર્ષ 2013 માં, યુપીએ સરકારે ચૂંટણી સમયે વકફ કાયદામાં કેટલાક ફેરફારો કર્યા. તે સમયે JPC ની રચના પણ કરવામાં આવી હતી, જેમાં 13 સભ્યો હતા. આ વખતે ૩૧ સભ્યો હતા. તે વખતે JPC ની 22 બેઠકો હતી અને આ વખતે 36 બેઠકો હતી. તે સમયે, 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને આ વખતે 25 રાજ્યોની સાથે ઘણી અન્ય સંસ્થાઓ અને સાંસદો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, લાખો સૂચનો પ્રાપ્ત થયા હતા. અગાઉ સમિતિએ ફક્ત જમ્મુ, શ્રીનગર અને લેહની મુલાકાત લીધી હતી, પરંતુ આ વખતે સમિતિના સભ્યોએ 10 શહેરોની મુલાકાત લીધી.
જે કોંગ્રેસ ન કરી શકી, તે મોદી સરકાર કરી રહી છે’
કિરેન રિજિજુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે સંયુક્ત સંસદીય સમિતિએ બિલ પર લોકોના અભિપ્રાય જાણવા માટે 10 શહેરોની મુલાકાત લીધી હતી અને 284 સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, વકફ મિલકત અંગે ઘણા કેસ પેન્ડિંગ છે. આ બિલ જરૂરી છે કારણ કે તેના પર ચાલી રહેલા વિવાદને કારણે. જે કોંગ્રેસ ન કરી શકી તે મોદી સરકાર કરી રહી છે. કિરેન રિજિજુએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે વક્ફ સુધારા બિલના સમર્થનમાં નાના અને મોટા એક કરોડ સૂચનો પ્રાપ્ત થયા છે. સંયુક્ત સંસદીય સમિતિએ બિલ પર લોકોના અભિપ્રાય જાણવા માટે 10 શહેરોની મુલાકાત લીધી અને 284 સંગઠનો સાથે ચર્ચા કરી.
ગઇકાલે લોકસભામાં રજૂ થયું હતું બિલ
લોકસભાએ બુધવારે રાત્રે લગભગ 1 વાગ્યે વક્ફ સુધારા બિલને બહુમતીથી પસાર કર્યું. બિલના પક્ષમાં 288 મત પડ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 232 મત પડ્યા. ગૃહે વિપક્ષના તમામ સુધારાઓને ધ્વનિ મતથી નકારી કાઢ્યા. વિપક્ષી સાંસદ એનકે પ્રેમચંદ્રનના સુધારા પ્રસ્તાવ પર સવારે 1.15 વાગ્યે મતદાન થયું, જેને 231 વિરુદ્ધ 288 મતોથી નકારી કાઢવામાં આવ્યું.






