બાંગ્લાદેશના સ્વતંત્રતા દિવસ નિમિતે PM મોદીએ પાઠવી શુભેચ્છા, કહ્યું ભાગીદારીને વિકસાવવા પ્રતિબદ્ધ છીએ

ભારત-બાંગ્લાદેશ વચ્ચેના તણાવપૂર્ણ સંબંધો વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવવા પત્ર લખ્યો. તેમણે બંને દેશો વચ્ચે ભાગીદારીને આગળ વધારવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રીએ લખ્યું, “મહામહિમ, હું બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે તમને અને બાંગ્લાદેશના લોકોને મારી શુભકામનાઓ પાઠવું છું.” પીએમએ લખ્યું, “આ દિવસ આપણા સહિયારા ઇતિહાસ અને આપણી દ્વિપક્ષીય ભાગીદારીનો પાયો નાખનારા બલિદાનોની સાક્ષી તરીકે ઉભો છે. બાંગ્લાદેશના મુક્તિ યુદ્ધની ભાવના આપણા સંબંધોને માર્ગદર્શન આપી રહી છે, જે ઘણા ક્ષેત્રોમાં વિકસ્યા છે, જેનાથી આપણા લોકોને મૂર્ત લાભો થયા છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટેની આપણી સામાન્ય આકાંક્ષાઓથી પ્રેરિત અને એકબીજાના હિતો અને ચિંતાઓ પ્રત્યે પરસ્પર સંવેદનશીલતા પર આધારિત આ ભાગીદારીને વધુ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. મહામહિમ, કૃપા કરીને મારી સર્વોચ્ચ વિચારણાની ખાતરી સ્વીકારો.”ઉલ્લેખનીય છે કે ભારતના લાંબા સમયથી સાથી રહેલા શેખ હસીનાના નેતૃત્વ હેઠળની અવામી લીગ સરકાર એક વિશાળ આંદોલન બાદ ઉથલી ગઈ હતી.. આ પછી, ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને ભારતમાં શરણ લેવાની ફરજ પડી હતી, શેખ હસીનાને શરણ આપવાને લઇને ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા છે. સત્તા પરિવર્તન પછી રચાયેલી વચગાળાની સરકારનું નેતૃત્વ નોબેલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસ કરી રહ્યા છે.

Related Posts

ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલ માટે નવા નિયમો જાહેર

દેશમાં ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પેટ્રોલમાં ઈથેનોલ મિશ્રણ વધારવા અંગે સરકાર દ્વારા અગાઉ મંજૂરી આપવામાં આવ્યા બાદ હવે બ્યુરો ઓફ ઈન્ડિયન…

ગરમી વચ્ચે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, 17 રાજ્યો માટે એલર્ટ જાહેર

દેશભરમાં એક તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે તો બીજી તરફ હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *