સંસ્કૃતિ કેન્દ્રે બ્રિટનમાં દુર્લભ સપ્ત માતૃકાની વાર્તા પર નૃત્ય રજૂ કર્યું

લંડનમાં કલા માટે અગ્રણી સંસ્થા ધ ભવન ખાતે સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સેલન્સ દ્વારા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં ઉલ્લેખિત માતા દેવીઓની શક્તિશાળી વાર્તાનું નૃત્યમય રજૂકરણ કરવામાં આવ્યું. ‘માતૃ વંદના’ નામનો આ વિશિષ્ટ કાર્યક્રમ યુકેમાં માતૃદિનની ઉજવણી સાથે સંકળાયેલો હતો, જે સદીઓ જૂની ભારતીય અને બ્રિટિશ પરંપરાઓને સમાવી માતાઓ અને માતૃત્વનું સન્માન કરતો એક અનોખો સમારંભ હતો.આ પ્રસંગે બકિંગહામ પેલેસ દ્વારા મહામહિમ રાજા ચાર્લ્સ વતી મોકલાયેલા અભિનંદન સંદેશનું વાચન કરવામાં આવ્યું.

શ્રોતાઓએ એક ભવ્ય શાસ્ત્રીય નૃત્ય જોયું, જેમાં સપ્ત માતૃકાઓ – સાત દિવ્ય માતાઓ – ને રક્તબીજની રાક્ષસી સેનાની સામે યુદ્ધ રત યોદ્ધાઓ તરીકે દર્શાવવામાં આવી હતી. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેના સંઘર્ષનું પ્રતીક હતું.કાર્યક્રમની ઉજવણી માટે લંડન યુનિવર્સિટીના પ્રોફેસર પીટર ઓસ્ટિન, બાફ્ટા સભ્ય પોલ બ્રેટ, પુરસ્કાર વિજેતા લેખક તેજેન્દ્ર શર્મા અને ભવનના પાર્વતી નાયર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું, જ્યારે અંજના વસાએ શાસ્ત્રીય સંગીત રજૂ કર્યું.આ પ્રસંગે 30 નર્તકો દ્વારા વિવિધ શૈલીઓમાં નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જેમાં ભારતની અરુંધતી શ્રીનિવાસનનો સમાવેશ થાય છે. સપ્ત માતૃકાની વાર્તા શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ ભરતનાટ્યમ, કુચીપુડી અને કથક દ્વારા આકર્ષક રીતે રજૂ કરવામાં આવી.

ઉપરાંત, સાન્વિકા કોમિનેની, મંજુ સુનિલ, લક્ષ્મી પિલ્લઈ, દેબાંજલી બિશ્વાસ, શ્રી લલિતા કોટલા અને પ્રિયા અમિત દ્વારા મણિપુરી અને મોહિનીઅટ્ટમ શૈલીઓમાં સુંદર પ્રસ્તુતિ આપવામાં આવી. અંતિમ અભિનય તરીકે, ઓડિસી નૃત્યાંગના દેવબ્રત પાલ દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું, જ્યારે રાગસુધા વિંજામુરીએ ચામુંડા દેવીનું ચિત્રણ નૃત્ય દ્વારા કર્યું.સંસ્કૃતિ કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી યુકે અને યુરોપમાં ભારતીય સંસ્કૃતિ અને ભાષાકીય વિવિધતા રજૂ કરવા માટે વિવિધ નૃત્યો, થીમ્સ અને વાર્તાઓનું સંશોધન અને પ્રસ્તુતિ કરી રહ્યું છે. લંડનની સુંદરલેન્ડ યુનિવર્સિટીના એસોસિયેટ લેક્ચરર અને એવોર્ડ વિજેતા નૃત્યાંગના રાગસુધા વિંજામુરી દ્વારા સ્થાપિત આ કેન્દ્ર તાજેતરમાં પ્રતિષ્ઠિત બ્રિટિશ ડાયવર્સિટી એવોર્ડ્સ 2025 માટે ફાઈનલિસ્ટ બન્યું.

ગયા વર્ષે, સંસ્કૃતિ કેન્દ્રએ વિશ્વમાં પ્રથમ વખત મુદ્ગલ પુરાણમાંથી ગણેશ અવતારોની વાર્તા રજૂ કરવાનો ગૌરવ મેળવ્યું હતું.

Related Posts

CM ભુપેન્દ્ર પટેલ ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. જવા રવાના….

CM ભૂપેન્દ્ર પટેલનું ગુજરાત ડેલિગેશન સાન ફ્રાન્સિસ્કો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન D.C. રવાના -> ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત ડેલિગેશન અમેરિકાના પ્રવાસના મહત્વપૂર્ણ તબક્કા તરીકે સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરીને બુધવાર, 19 ઓગસ્ટ 2026ના રોજ વોશિંગ્ટન D.C. જવા રવાના થયું છે. સાન ફ્રાન્સિસ્કોમાં વિવિધ ટેક્નોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથેની મહત્વપૂર્ણ બેઠકો બાદ હવે ગુજરાત ડેલિગેશનનો આગળનો તબક્કો વોશિંગ્ટન D.C.માં શરૂ થશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વિદેશ પ્રવાસે છે. તેમણે પોતાના અમેરિકા પ્રવાસના મહત્વના ચરણ રૂપે સેન ફ્રાન્સિસ્કો (San Francisco) ખાતેનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધો છે અને હવે તેઓ આગામી બેઠકો અને વ્યૂહાત્મક ચર્ચાઓ માટે વોશિંગ્ટન ડી.સી. (Washington D.C.) જવા રવાના થયા છે. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત અને અમેરિકા વચ્ચે ટેક્નોલોજી,…

IAS તુકારામ મુંઢે છે કોણ ? હાલ માં તેઓ ખુબ ચર્ચા માં છે જાણો…

IAS તુકારામ મુંઢે કોણ છે? ‘સિંઘમ’ તરીકે જાણીતા અધિકારીની કહાની, 21 વર્ષમાં અનેક ટ્રાન્સફર છતાં કામ કરવાની અલગ ઓળખ -> IAS : ભારતીય વહીવટી સેવાના અધિકારી તુકારામ હરીભાઉ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષા અને ભેળસેળ સામે ચાલી રહેલી કડક કાર્યવાહીને કારણે તેઓ હાલ સમાચારોમાં છવાયેલા છે. કડક નિર્ણયો, નિયમોના પાલન પર ભાર અને નિડર વહીવટી શૈલીને કારણે તેમને ઘણીવાર ‘સિંઘમ IAS’ તરીકે ઓળખવામાં આવે છે. દેશના સૌથી ચર્ચિત, ઈમાનદાર અને પોતાના કડક નિર્ણયો માટે જાણીતા IAS ઓફિસર તુકારામ મુંઢે (Tukaram Mundhe) ફરી એકવાર સોશિયલ મીડિયા અને મીડિયાની હેડલાઇન્સમાં છવાયેલા છે. જ્યારે પણ કોઈ સિનિયર IAS ઓફિસરની વાત આવે અને તેમાં ‘પ્રામાણિકતા’, ‘જનહિત’ અને ‘ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝુંબેશ’ જેવા શબ્દો જોડાય, ત્યારે તુકારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *