સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 57 વર્ષના શખ્સની ધરપકડ

સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં 57 વર્ષના આધેડે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની દુકાનમાં બાળકી સાથે આ કૃત્ય કર્યું હતું. સરથાણા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, તા. 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજના આશરે 7 વાગ્યે એક વૃદ્ધ દાદા પોતાના પૌત્ર અને પૌત્રીને ઘરની બહાર રમાડવા લઈ ગયા હતા. આ દરમિયાન પૌત્ર રડવા લાગતા દાદા તેને ઘરે મુકવા ગયા હતા. તે સમયે સરથાણામાં આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓની દુકાન ચલાવતા વિનોદ મોહનભાઈ અણઘણ (ઉંમર 57, મૂળ રહેવાસી હડમતીયા ગામ, પાલીતાણા, જી. ભાવનગર) એ દાદાને પોતાની વાતોમાં ભોળવી પૌત્રીને દુકાનમાં બેસાડવાની વિનંતી કરી હતી.

દાદા પૌત્રને ઘરે મુકવા ગયા તે દરમિયાન આરોપી વિનોદ અણઘણે દુકાનની અંદર 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય બાદ જ્યારે દાદા પરત ફર્યા ત્યારે બાળકી વ્યથિત હાલતમાં હતી. બાદમાં બાળકી દ્વારા સમગ્ર ઘટના દાદા તથા પરિવારજનોને જણાવવામાં આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.

ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિનોદ અણઘણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીની તબીબી તપાસ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સ્થાનિક લોકો દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…