આ ટ્રેન મુંબઈથી બપોરે 2:45 વાગ્યે ઉપડી અને રાત્રે 9 વાગ્યે અમદાવાદ પહોંચી હતી. રાજસ્થાનમાં ટ્રાયલ રન કર્યા બાદ તેનું અમદાવાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. શુક્રવારે, ટ્રેનને ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) માં પરત મોકલવામાં આવી હતી, જ્યાં RDSO ની સૂચનાઓ અનુસાર ફેરફારો કરવામાં આવશે.ટ્રાયલ દરમિયાન ઓપરેટિંગ, ઇલેક્ટ્રિકલ, એન્જિનિયરિંગ, સિગ્નલ, ટેલિકોમ્યુનિકેશન અને મિકેનિકલ વિભાગના અધિકારીઓ સામેલ હતા. અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ, પેસેન્જર સુવિધાઓ અને ટ્રેનના કોચની સુરક્ષા પ્રણાલીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

-> વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયત :- અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતની વાત કરીએ તો, આ ટ્રેનમાં 16 કોચ છે. તેમનું ઈન્ટિરિયર આકર્ષક છે. ટ્રેનમાં એક ફર્સ્ટ એસી કોચ, અને 4 સેકન્ડ એસી કોચ છે. ફર્સ્ટ એસી કોચમાં 24 સ્લીપર્સ છે. સેકન્ડ એસી કોચમાં 48 સ્લીપર્સ, થર્ડ એસીના કુલ 11 કોચ છે. દરેક કોચમાં 3 શૌચાલય, 1 કોચમાં સ્નાન કરવાની પણ સુવિધા રાખવામાં આવી છે. ટ્રેનમાં સીટ નંબર અને માહિતી બ્રેઇલ લીપીમાં પણ ઉપલબ્ધ છે. દિવ્યાંગો માટે વ્હિલચેર સાથે ત્યાં પહોંચી શકાય તેવા વિશેષ શૌચાલય બનાવવામાં આવ્યું છે. એલાર્મ સિસ્ટમ અને સુરક્ષા માટે સીસીટીવી પણ લગાવવામાં આવ્યા છે.






