હવામાન વિભાગની આજની આગાહી, જાણો વરસાદ પડશે કે નહીં પડે?

B INDIA ગાંધીનગર : ગુજરાતનાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી.આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા. જોકે, હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી. હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઓછી થઈ ગઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવનારા સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ. કે. દાસે આજે જણાવ્યું છે કે, પહેલા જે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી હતી તેની શક્યતા ઓછી થઈ ગઈ છે. જે અંગે તમને અપડેટ કરતા રહીશું.

આગામી 24 કલાકમાં અમદાવાદનું આકાશ સ્વચ્છ રહેશે અને લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમણે ઠંડી અંગે એમ પણ જણાવ્યું છે કે, હજી શિયાળો ગયો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તે આવ્યા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. હજી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતા છે.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *