સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવશે ગુજરાત, જાણો કઈ તારીખે ?

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ એઆઈસીસી અધિવેશન યોજશે. આ મહત્વપૂર્ણ બેઠકમાં દેશભરના એઆઈસીસી પ્રતિનિધિઓ અમદાવાદમાં એકત્રિત થશે. જ્યાં પક્ષના આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે. અધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે જે પછી 9 એપ્રિલેના રોજ એઆઈસીસી પ્રતિનિધિઓની બેઠક યોજાશે.

આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે. તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય એઆઈસીસી પ્રતિનિધિઓ હાજર રહેશે. આ એઆઈસીસી અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી.

મહાત્મા ગાંધી, ડો. ભીમરાવ આંબેડકર અને ભારતીય બંધારણની વારસાને સાચવવાની, સંરક્ષણ કરવાની અને પ્રોત્સાહન આપવા માટેની તાત્કાલિક જરૂરિયાતને માન્યતા આપતાં, 26 જાન્યુઆરી 2025થી 26 જાન્યુઆરી 2026 વચ્ચે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક વિશાળ રાષ્ટ્રીય જનજાગૃતિ અભિયાન “સંવિધાન બચાવો રાષ્ટ્રીય પદયાત્રા” શરૂ કરશે. સાથે જ, મહાત્મા ગાંધીના જન્મસ્થાન ગુજરાતમાં એઆઈસીસી અધિવેશન યોજીને, અમે સત્ય, અહિંસા અને ન્યાયના તેમના આદર્શો પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત કરીશું.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *