સુરતમાં કોલસાનો કાળો કારોબાર, SMCએ દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરતમાં કોલસાના કાળાં કારોબારનો પર્દાફાશ થયો છે. SMCએ બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. કામરેજના ઉંભેળ ગામે SMCએ કાળા કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. પોર્ટ પરથી આવતા ઇમ્પોર્ટેડ કોલસામાં ભેળસેળ અને હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરી વેચતા માફિયાઓ સામે SMCએ કાર્યવાહી હાથ ધરી છે.

કામરેજના ઉંભેળ ગામે સ્ટેટ વિજિલન્સે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઉંભેળ ગામે નેશનલ હાઈને અડીને આવેલા ગોડાઉનમાં વેપલો ચાલતો હતો. જેમાં વિદેશથી આવતા ઇમ્પોર્ટએડ કોલસામાં હલકી ગુણવત્તાનો કોલસો મિક્ષ કરીને વેચવામાં આવતો હતો.

મળતી માહિતી મુજબ, પોર્ટ પરથી કોલસો ભરી નીકળી ટ્રકના ડ્રાયવર સાથે મેળા પીપણામાં વેપલો ચાલતો હતો. આખરે SMCએ કાળા કોલસાના કાળા કારોબાર સામે લાલાઆંખ કરી છે. વિઝીલનસે આશરે 7 લાખની કિંમતનો 98 ટન ઇમ્પોર્ટએડ કોલસો, 1.31 લાખની કિંમતનો વેસ્ટ કોલસો, ચાર ટ્રક ,એક લોડર,એક ફોર વહીલ કાર રોકડ મોબાઈલ મળી 1.33 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે 7 લોકોની અટકાયત કરીને 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. અને SMCએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *