સંધ્યા થિયેટરમાં નાસભાગનો ભોગ બનનાર પીડિત પરિવારને અપાશે 2 કરોડ, અલ્લુ અર્જુનના પિતાની જાહેરાત

‘પુષ્પા 2’ સ્ટાર અલ્લુ અર્જુનના ફિલ્મ નિર્માતા પિતા અલ્લુ અરવિંદે મોટી જાહેરાત કરી છે. તેમણે નાસભાગનો ભોગ બનેલા 8 વર્ષના બાળકને 2 કરોડ રૂપિયા આપવાનું કહ્યું છે. અગાઉ, ફિલ્મના નિર્દેશક સુકુમાર અને તેમની પત્નીએ પીડિત પરિવારને 5 લાખ રૂપિયા આપ્યા હતા અને મેકર્સ દ્વારા 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કલાકારોથી લઈને ફિલ્મની ટીમ સુધી, સૌએ પીડિત પરિવાર તરફ મદદનો હાથ લંબાવ્યો છે..

4 ડિસેમ્બરે સંધ્યા થિયેટરમાં થયેલી નાસભાગમાં 8 વર્ષનો શ્રેતેજ ગંભીર રીતે ઘાયલ થયો છે, અને હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેની માતા રેવતીનું અવસાન થયું છે.. આ કેસમાં અલ્લુ અર્જુનની પણ બેદરકારીનો આરોપ લગાવીને ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા કલાકોમાં જ તેને છોડી દેવામાં આવ્યો હતો.

-> અલ્લુ અર્જુનના પિતાએ કહ્યું- પીડિત પરિવારને દરેક સંભવ મદદ :- અલ્લુ અર્જુન ત્યારથી પીડિતના પરિવારના સંપર્કમાં છે અને સતત બાળકના સ્વાસ્થની અપડેટ લઇ રહ્યા છે. અભિનેતાના પિતા અલ્લુ અરવિંદે જાહેરાત કરી કે તેઓ પીડિત પરિવારને 2 કરોડ રૂપિયાની સહાય આપશે. તેમણે એમ પણ કહ્યું કે તે દરેક પરિસ્થિતિમાં પીડિત પરિવારની સાથે છે અને દરેક સંભવ મદદ કરશે.

-> અલ્લુ અરવિંદ બાળકને મળવા પહોંચ્યા, 2 કરોડ રૂપિયાની રકમની જાહેરાત કરી :- અલ્લુ સાથે અરવિંદ, દિલ રાજુ અને અન્ય લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. તેમણે ડોકટરો સાથે પણ વાત કરી અને તેની તબિયત સુધરી રહી છે તે જાણીને રાહતનો શ્વાસ લીધો. ‘PTI’ અનુસાર, તેમણે કહ્યું, શ્રી તેજ સ્વસ્થ થઈ રહ્યો છે. હવે તે વેન્ટિલેટર પર નથી. પરિવારના ભરણપોષણ માટે અમે તેને 2 કરોડ રૂપિયા આપીશું..અલ્લુ અર્જુન તરફથી 1 કરોડ, નિર્દેશક અને નિર્માતા દરેકને 50 લાખ આપશે. તેમણે આગળ કહ્યું, ‘અલ્લુ અર્જુનને ₹1 કરોડ, મૈત્રી મૂવી મેકર્સ ₹50 લાખ અને ડિરેક્ટર સુકુમાર ₹50 લાખ આપશે. અમે આ પૈસા તેલંગાણા ફિલ્મ વિકાસ નિગમના પ્રમુખ દિલ રાજુ મારફત આપીશું.

Related Posts

ગુજરાતના MSME સેક્ટરની સ્કીલ અને એક્સપર્ટીઝનો સહયયોગ ઝિમ્બાબ્વેના સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઈઝ SME સેક્ટરને મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ભારત નેપાળ અને લંકા તથા માલદીવ્સના ઝિમ્બાબ્વીયન એમ્બેસેડર સુ. સ્ટેલા નકોમો અને ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સના ડેપ્યુટી મિનિસ્ટર રાજેન્દ્ર કુમાર મોદી અને ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી.…

Gandhinagar : બજેટ સત્ર શરૂ થતાં પહેલા વિધાનસભા પર છવાયો પરંપરાગત અને સાંસ્કૃતિક કલા-કારીગરીનો રંગ, જાણો વિગત

ગાંધીનગર : ગુજરાતની પ્રજાનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *