વિદેશ પ્રવાસમાં શું ક્રિકેટરો પત્નીઓને સાથે નહીં રાખી શકે? અહી જાણો.

બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં હાર બાદ BCCI એક્શનમાં છે. પસંદગી સમિતિના અધ્યક્ષ અજીત અગરકર, કેપ્ટન રોહિત અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે 11 ડિસેમ્બર શનિવારના રોજ સમીક્ષા બેઠકમાં ભાગ લીધો હતો. અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયામાં નિરાશાજનક પરિણામો બાદ BCCI ખેલાડીઓ માટે નવી માર્ગદર્શિકા લાગુ કરવા માટે તૈયાર છે.

-> ત્રણ કડક નિયમો :- ટીમના પ્રદર્શનમાં સુધારો કરવા માટે BCCIએ એક નવી માર્ગદર્શિકા બનાવી છે, જેના હેઠળ હવે ક્રિકેટરનો પરિવાર 45 દિવસના વિદેશ પ્રવાસમાં વધુમાં વધુ બે અઠવાડિયા સુધી તેમની સાથે રહી શકશે. આ સિવાય તમામ ખેલાડીઓ એક જ ટીમની બસમાં મુસાફરી કરશે, કોઈને પણ અલગથી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે નહીં. સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પણ વધુમાં વધુ ત્રણ વર્ષ નક્કી કરવામાં આવશે.

ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે શ્રેણી રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત પાકિસ્તાન સામે હારી ગયું હતું. આવી સ્થિતિમાં, આ વખતે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. ભારતીય ટીમ 23 ફેબ્રુઆરીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સાથે ટકરાવાની છે.

Related Posts

શહેરીકરણની નવી ક્રાંતિ: દિલ્હી-NCR માં આકાર લેશે ‘નમો સિટીઝ’, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘નમો સિટીઝ’: દિલ્હી-NCR ના ભવિષ્ય માટેનું એક ક્રાંતિકારી શહેરી વિકાસ મોડેલ   નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા દેશના શહેરીકરણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવો અત્યંત મહત્વકાંક્ષી ‘નમો સિટીઝ’ (Namo Cities)…

NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *