વડોદરામાં મોટી માત્રામાં ઝડપાયો દારુ,1.78 કરોડનો જથ્થો લોકલ ક્રાઈમ બ્રાન્ચે જપ્ત કર્યો

B INDIA વડોદરા : વડોદરા જિલ્લામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો છે. 4 કન્ટેનર ભરેલો દારૂ અને બિયર જથ્થો ઝડપાયો છે. જેમાં 24 કલાકમાં 1.78 કરોડથી વધુનો દારૂ અને બિયરનો ઝથ્થો ઝડપાયો છે,કરજણ, વરણામા અને મંજુસર પોલીસની હદમા રેડ કરીને આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. 4 કન્ટેનરના ચાલક અને એક ક્લીનરની ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાની હદમાંથી બાતમીના આધારે આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.માત્ર 24 કલાકમાં કુલ 1 કરોડ 78 લાખ ઉપરાંતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.કરજણ, વરણામા અને મંજુસર પોલીસ મથકની હદમાંથી આ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 4 કન્ટેનરમાંથી 2,123 દારૂની બોટલો અને બિયરની પેટીઓ સાથે 4 કન્ટેનરના ચાલક અને એક કલિનરની ધરપકડ કરવામાં આવી છે.

રાત્રે ઘનિષ્ઠ પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કરજણ પોલીસ મથકની હદમાંથી દારૂ ભરેલુ એક કન્ટેનર અને વરણામાં પોલીસ મથકની હદમાંથી એક દારૂ ભરેલું કન્ટેનર અને બીજું બિયરનો જથ્થો ભરેલુ કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે.આ દારૂનો જથ્થો ભરી આપનાર અનિલ અને દારૂનો જથ્થો મંગાવનારને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગે એલસીબીના અનાર્મ હેડ કોન્સ્ટેબલ વિનોદસિંહે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *