રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન કેવું રહેશે? અહી જાણો….

B INDIA અમદાવાદ : રાજ્યનાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. થોડા દિવસ તાપમાનમાં ઘટાડો તો થોડા દિવસ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની આગાહી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા માવઠા કે વરસાદની કોઈ સંભાવનાઓ વ્યક્ત કરી નથી. હવામાન ડ્રાય રહેવાની આગાહી છે.

હવામાન વિભાગે આપેલા લઘુત્તમ આંકડા પ્રમાણે વાત કરીએ તો, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી નોંધાયું છે. આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.આ સાથે ગુજરાતમાં સૌથી ઓછા તાપમાનની વાત કરીએ તો, નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ સાથે ડીસામાં 10.6 ડિગ્રી, રાજકોટમાં 10.9 ડિગ્રી, પોરબંદરમાં 11.9 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8, અમદાવાદમાં 16 ડિગ્રી અને સુરતમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “28 તારીખ સુધી ઠંડીનો ચમકારો જોવા મળશે. હમણાં ઝાકળની કોઈ શક્યતાઓ દેખાતી નથી. આવનારા સમયમાં ઝાકળનો એક રાઉન્ડ આવશે. આ રાઉન્ડ 28 તારીખથી ચાલુ થઈ શકે છે. તે એટલા માટે કે અત્યારે જે ઉત્તરના પવનો છે, તેની દિશા બદલાશે. 28 તારીખથી હવામાનમાં પલટો આવશે. 28 તારીખથી 5 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં પલટો રહેવાનો છે. જેમાં અનેક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. 28થી 31 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાનું છે.”

Related Posts

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

રાજ્યમાં યોજાનારી બોર્ડની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, આ મુદ્દે થઈ ચર્ચા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અંગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *