રાજકોટ સમૂહલગ્ન ઠગાઈમાં ઢીલી તપાસ, આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકો પોલીસ પકડથી દૂર છે,પોલીસ હજી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી,મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે.તો ઝડપાયેલા 4 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર છે. દીપક હિરાણી,દિલીપ ગોહેલ,મનીષ વિઠલાપરા,દિલીપ વરસડા રિમાન્ડ પર છે.

-> આરોપીઓ ફરાર થયાં :- ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડયા હતા તો પોલીસે અને સામાજિક આગેવાનોએ તમામ પ્રસંગની જવાબદારી લઈને લગ્ન પૂર્ણ કરાવ્યા હતા.

ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેમની ટીમે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે અનેક યુગલો અને તેમના પરિવારજનો રસ્તા પર રઝળી પડ્યા હતા.

Related Posts

અંકલેશ્વરમાં દુર્લભ વૃક્ષવાસી દેડકાની પ્રજાતીનો શોધ, પર્યાવરણપ્રેમીઓમાં ઉત્સાહ અને ઉત્સુકતા

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ સ્થિત મારુતિ ધામ સોસાયટીના એક મકાનમાંથી દુર્લભ અને અનોખી વૃક્ષ-નિવાસી દેડકાની પ્રજાતિ જોવા મળતા વિસ્તારમાં ચર્ચા અને ઉત્સુકતા ફેલાઈ હતી. સામાન્ય દેડકાથી અલગ દેખાવ અને વર્તન…

આવતીકાલે ‘વર્લ્ડ રેડિયો ડે’ , જાણો આ વર્ષે કઈ થીમ પર થશે ઉજવણી ?

વર્લ્ડ રેડિયો ડે’: સ્ક્રીન વિના સંવાદ એટલે ‘રેડિયો’ ચાલુ વર્ષે ‘રેડિયો અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ’ની થીમ સાથે ઉજવાશે ‘રેડિયો ડે’ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કાર્યક્રમ થકી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *