રાજકોટ સમૂહલગ્ન ઠગાઈમાં ઢીલી તપાસ, આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર

રાજકોટમાં સમૂહ લગ્ન ઠગાઈમાં પોલીસની ઢીલી તપાસ સામે આવી છે જેમાં મુખ્ય સૂત્રધાર સહિત 2 લોકો પોલીસ પકડથી દૂર છે,પોલીસ હજી મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી,મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છાત્રોલા પોલીસ પકડથી દૂર છે.તો ઝડપાયેલા 4 આરોપીઓ 1 દિવસના રિમાન્ડ પર છે. દીપક હિરાણી,દિલીપ ગોહેલ,મનીષ વિઠલાપરા,દિલીપ વરસડા રિમાન્ડ પર છે.

-> આરોપીઓ ફરાર થયાં :- ઋષિવંશી ગ્રુપના નામે આયોજન કરનાર આયોજકો ફરાર થઈ ગયા હતા. આયોજક ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહેલ, દિપક હિરાણી રફૂચક્કર થઈ ગયા હતા. સવારે 4થી 6ના ગાળામાં 28 જાન લગ્ન સ્થળે પહોંચી ચૂકી હતી.આયોજકો ફરાર થતા વરરાજા વહુ અને જાનૈયા રજળી પડયા હતા તો પોલીસે અને સામાજિક આગેવાનોએ તમામ પ્રસંગની જવાબદારી લઈને લગ્ન પૂર્ણ કરાવ્યા હતા.

ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના લગ્ન કરાવવાના બહાને મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા અને તેમની ટીમે અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા, પરંતુ લગ્નના દિવસે આયોજકો લગ્ન સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા. જેના કારણે અનેક યુગલો અને તેમના પરિવારજનો રસ્તા પર રઝળી પડ્યા હતા.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *