કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો છે, જેમાંથી 16 ગુમ થયાની રશિયા દ્વારા જાણ કરવામાં આવી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી. સરકારને પૂછવામાં આવ્યું હતું કે શું તેમની પાસે રશિયન સૈન્યમાં સેવા આપતા ભારતીયોની કુલ સંખ્યા વિશે માહિતી છે અને જો એમ હોય તો, તેમની ઓળખની તારીખ સહિતની વિગતો છ.
આ પણ વાંચો :- ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?
ભારતીય નાગરિકોના ભારત પાછા ફરવાની તારીખોનો ડેટા :- વિદેશ મંત્રાલયને એ પણ પૂછવામાં આવ્યું હતું કે શું સરકાર પાસે તે ભારતીય નાગરિકોની ભારત પરત ફરવાની તારીખોનો ડેટા છે જેમને હવે રાહત મળી છે. તેમણે કહ્યું, “ઉપલબ્ધ માહિતી અનુસાર, રશિયન સશસ્ત્ર દળોમાં ૧૨૭ ભારતીય નાગરિકો હતા, જેમાંથી ૯૭ લોકોની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી, જે આ બાબતે ભારત અને રશિયન સરકારો વચ્ચે સતત વાતચીતનું પરિણામ હતું,
આ પણ વાંચો :- પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’
રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ ભારતીય નાગરિકો છે :- સિંહે કહ્યું, “ઉપલબ્ધ માહિતી અનુસાર, 18 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સશસ્ત્ર દળોમાં છે, જેમાંથી 16 ગુમ થયાની જાણ કરવામાં આવી છે. સરકારે કહ્યું કે તેણે સંબંધિત રશિયન અધિકારીઓ પાસેથી આવા વ્યક્તિઓ વિશે માહિતી માંગી છે. રશિયન અધિકારીઓને રશિયન સશસ્ત્ર દળોમાં ભારતીયો વિશે અપડેટ આપવા અને તેમની સલામતી, સુખાકારી અને વહેલા ડિસ્ચાર્જ સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







