
અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે, સૂચના છતાં દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જેના કારણે વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ચોટીલા ડુંગરની તળેટીથી રસ્તા સુધી દબાણો કરાયેલી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા.વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અને દબાણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.






