યાત્રાધામ ચોટીલામાં મેગા ડિમોલેશન, ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

B INDIA ચોટીલા : દ્વારકા બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. વહીવટીતંત્ર દ્વારા યાત્રાધામ ચોટીલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ચામુંડા માતાજીના ડુંગરની તળેટીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બુલડોઝર ફેરવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ડિમોલેશન કાર્યવાહી પહેલા વહીવટીતંત્રે તમામ દબાણકારોને નોટિસ આપી હતી.

અને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા જણાવ્યું હતું. જોકે, સૂચના છતાં દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. જેના કારણે વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ચોટીલા ડુંગરની તળેટીથી રસ્તા સુધી દબાણો કરાયેલી દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા હતા.વહીવટીતંત્ર દ્વારા દબાણો દૂર કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અરાજકતાનું વાતાવરણ સર્જાયું હતું. અને દબાણકારોમાં ખળભળાટ મચી ગયો હતો. આ કડક કાર્યવાહીથી અન્ય વિસ્તારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *