બસના પાસ માટે વિદ્યાર્થીઓને હવે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી, આવી રીતે કરો E- Passની અરજી

B INDIA અમદાવાદ : ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા ‘ઈ-પાસ સિસ્ટમ’ પ્રથમ વખત જ શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન E-Pass કરાવીને ડિજિટલ ગુજરાત અભિયાનમાં સહભાગી થયા છે. જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાંથી આવતી વિદ્યાર્થિનીઓને એસ.ટી. નિગમ દ્વારા આ પાસ વિનામૂલ્યે આપવામાં આવે છે.એસ.ટી. નિગમના ઇન્ચાર્જ મુખ્ય કામદાર અધિકારી વિષ્ણુ દવે જણાવ્યું છે કે, ઈ-પાસ સિસ્ટમની વિદ્યાર્થી જાતે જ ઓનલાઈન એપ્લિકેશન કરી શકે છે.

pass.gsrtc.in વેબસાઈટ પરથી પાસ માટે અરજી કરી શકશે. જે-તે શૈક્ષણિક સંસ્થા દ્વારા ઓનલાઈન એપ્લિકેશન મંજૂર કરવામાં આવે છે. મંજૂર થયેલા ફોર્મ વિદ્યાર્થીએ નક્કી કરેલા એસ.ટી. વિભાગના કાઉન્ટર પર જતું રહે છે અને ત્યાં જઈને ફોર્મ નંબર આપી જરૂરી પાસના પૈસા ઓનલાઈન-કેશમાં ચૂકવી પાસ કલેક્ટ કરી શકે છે. જેનાથી વિદ્યાર્થીઓ માટે પાસ કાઢવાનું સરળ બની રહે છે. અરજી નંબરના આધારે વિદ્યાર્થી તેની અરજી અંગે લેટેસ્ટ સ્ટેટસ પણ ચેક કરી શકે છે.

મહત્વનું છે કે, શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓનો સમયની બચત થાય તેમજ વિદ્યાર્થીઓને એસ.ટી. બસના પાસ કઢાવવા માટે લાંબી લાઈનોમાં ઉભુ રહેવું ન પડે, સાથે જ હવે વારંવાર ધક્કા ખાવા ન પડે, ફોર્મમાં વિગતો ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળે અને વિદ્યાર્થી કોઈપણ જાતની હેરાનગતિ, દોડધામ કે માનસિક ત્રાસ વગર સરળતાથી બસનો મુસાફરી પાસ કાઢી શકે તે માટે શિક્ષણ વિભાગ સાથે API મારફતે Pass System Integration કરી ઓનલાઈન ઈ-પાસ કાઢી આપવામાં આવે છે.

Related Posts

આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’, મળી શકે છે આટલી રકમ

* આદિજાતિ વિસ્તારના 11 જિલ્લાના 258 ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. 5 કરોડથી વધુની રકમ અપાઈ : પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ   * આ યોજના હેઠળ 70 થી…

મહાશિવરાત્રિના પર્વ પર રેતીમાંથી તૈયાર થયેલા રેતશિલ્પ નિહાળશે ભાવિકો, જાણો વિગત

મહાશિવરાત્રિના પર્વના અનુસંધાને સોમનાથમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભક્તિ, ભોજન અને ભજનના આ ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટના સંકલનમાં રહી અને વહીવટી તંત્રની તમામ તૈયારીઓ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *