નિર્મલા સીતારમણની મધ્યમ વર્ગને મોટી ભેટ, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં

નાણામંત્રી નિર્મલા સીતારમણે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે. બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે હવે 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. જેની સીધી અસર દેશની સામાન્ય જનતા પર પડશે. આવકવેરા મુક્તિ મર્યાદા વધારવામાં આવે તેવી માંગ ઘણા સમયથી ચાલી રહી હતી.

-> જાણો હવે કેવી રીતે વસૂલવામાં આવશે ટેક્સ :- 12 થી 16 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ટેક્સ લાગશે. જ્યારે 16 થી 20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ટેક્સ લાગશે. આ સિવાય 24 થી 30 લાખ રૂપિયાની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. એટલે કે સરકાર 25 ટકાનો નવો સ્લેબ લાવશે. નવો ટેક્સ લગાવ્યા બાદ 18 લાખ રૂપિયા સુધીની આવક પર વાર્ષિક 70,000 રૂપિયાની બચત થશે. જ્યારે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર 80 હજાર રૂપિયાની બચત થશે. 25 લાખની આવક પર 1,10,000 રૂપિયાની બચત થશે. નિર્મલા સીતારમણે ભાડા પર ટીડીએસની મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરી છે. શિક્ષણ માટે મોકલવામાં આવેલા પૈસા પર ટીડીએસ દૂર કરવામાં આવ્યો છે. ટેક્સ રિટર્ન ભરવાની મર્યાદા વધારીને 4 વર્ષ કરવામાં આવી છે.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *