જૂનાગઢમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની, તાંત્રિક વિધિના નામે પરિણિતા પર આચર્યું દુષ્કર્મ

B INDIA જૂનાગઢ :- એક તરફ ડિજિટલ યુગની મોટી મોટી વાતો થઈ રહી છે. બીજી તરફ હજુ પણ અંધશ્રદ્ધા લોકોના મનમાં ઘર કરી બેસી રહ્યું છે. અંધશ્રદ્ધામાં કેટલાય લોકોના જીવ ગયા છે. તો બીજી તરફ ઢોંગી બાબાઓ તાંત્રિક વિધિઓના નામે મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે કેશોદના ગામ્ય પંથકમાં વધુ એક મહિલા અંધશ્રદ્ધાનો ભોગ બની છે.

કેશોદના ગામ્ય પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણિત મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. ઘરમાં આર્થિક સુખ શાંતિ બાબતે આરોપી સાથે તાંત્રિક વિધી કરવા વાત કરી હતી. ત્યારે બાદ આરોપીએ ગેરકાયદેસર મહિલાના ઘરમાં પ્રવેશ કરી, તાંત્રિક વિધીના નામે તાંત્રિક રણજીત પરમારે દિવો પ્રગટાવી રૂમ બંધ કર્યો હતો. ત્યાર બાદ મહિલાને માર મારી દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે તેણે મારીનાખવાની ધમકી પણ આપી હતી.

દુષ્કર્મની ઘટના બાદ મહિલાએ સરકારી દવાખાને સારવાર લીધી છે. આ દરમિયાન સમગ્ર ઘટનાને લઈ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની ફરિયાદ આધારે પંચાળા ગામના રણજીત બધા પરમાર વિરૂધ્ધ 64 (2) 115 (2) હેંઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *