ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીનું એલાન, જાણો ક્યાં દિવસે યોજાશે સેરેમની

ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીનું એલાન થઈ ગયું છે. 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં મિની વર્લ્ડ કપ તરીકે જાણીતી ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થઈ રહી છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફીની ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન થયું છે.પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે આઈસીસી સાથે મળીને ઓપનિંગ સેરેમનીની તારીખનું એલાન કર્યું છે જે પ્રમાણે 16 ફેબ્રુઆરીએ લાહોરમાં ઓપનિંગ સેરેમની યોજાશે તેમાં ભાગ લેનારી 8માંથી 7 ટીમોના કેપ્ટન હાજર રહેશે જોકે ભારતીય કેપ્ટન રોહિત શર્મા લાહોર જશે કે નહીં તે લઈને હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી, ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચો દુબઈમાં રમવાનું છે.

અધ્યક્ષ મોહસિન નકવીએ 19 ફેબ્રુઆરીએ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પહેલા ઈવેન્ટ્સની સૂચિને મંજૂરી આપી છે. પાકિસ્તાન બોર્ડ 7 ફેબ્રુઆરીએ નવીનીકરણ કરાયેલ ગદ્દાફી સ્ટેડિયમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરશે, જેના માટે વડા પ્રધાન શાહબાઝ શરીફને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચેમ્પિયન ટ્રોફી 2025માં 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે. આ 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપ-A માં છે. તેમની સાથેની અન્ય બે ટીમો ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઇંગ્લેન્ડને ગ્રુપ B માં રાખવામાં આવ્યા છે. બધી 8 ટીમો પોતપોતાના ગ્રુપમાં 3-3 મેચ રમશે. આ પછી દરેક ગ્રુપની ટોચની 2 ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે. ચેમ્પિયન્સ ટ્રોફીની બધી 15 મેચ 4 સ્થળોએ રમાશે. પાકિસ્તાનમાં 3 સ્થળો હશે. જ્યારે એક સ્થળ દુબઈ હશે. ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *