ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ


સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીએ માત્ર મહાત્મા ગાંધીજીના જીવનસાથી તરીકે જ નહીં, પરંતુ રાષ્ટ્રસેવામાં સહયોગી બનીને નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. મહાત્મા ગાંધીજી દેશસેવામાં સમર્પિત હતા ત્યારે કસ્તૂરબા ગાંધીજી તેમની સાથે પડછાયા સમા રહી અવિરત સહયોગ આપ્યો હતો.

અધ્યક્ષશ્રીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સંગ્રામના વિર શહીદોએ દેશ માટે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, ત્યારે આજના યુવાનોની ફરજ છે કે તેઓ દેશના વિકાસ માટે સમર્પિત બની કાર્ય કરે અને રાષ્ટ્રને પ્રગતિના માર્ગે આગળ ધપાવે.

આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલ, કોબાના ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમણે વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્રમમાં વિધાનસભાના અધિકારી ઓ અને કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

  • Related Posts

    કર્ણાટકમાં PM મોદીની આધ્યાત્મિક યાત્રા, કડક સુરક્ષા વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો કાર્યક્રમ

    કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક દિવસીય મુલાકાતે રાજકીય અને ધાર્મિક મહત્ત્વ વધાર્યું છે. આજે વહેલી સવારે બેંગલુરુ એરપોર્ટ પર કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.…

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી

    માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે…