મહાકુંભમાંથી પરત ફરતી વખતે ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. લીમખેડા પાલ્લી હાઇવે પર ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 8 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, પાલ્લી હાઇવે પર ઉભી રહેલી ટ્રક પાછળથી ટ્રાવેલરે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.








