ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર નડ્યો અકસ્માત, મહાકુંભમાંથી પરત ફરતી વખતે 4ના મોત, 8 ઘાયલ

મહાકુંભમાંથી પરત ફરતી વખતે ગુજરાતીઓને લીમખેડા હાઇવે પર અકસ્માત નડ્યો હતો. લીમખેડા પાલ્લી હાઇવે પર ટ્રક અને ટ્રાવેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 8 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, પાલ્લી હાઇવે પર ઉભી રહેલી ટ્રક પાછળથી ટ્રાવેલરે ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના 4 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. જ્યારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

પોલીસે તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.

Related Posts

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત

ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના…

પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *