ગુજરાતમાં HMPV વાયરસનાં ત્રણ કેસથી લોકોમાં ફફડાટ, આરોગ્ય મંત્રીએ આપી આ સલાહ

B india અમદાવાદ :- ચીનથી ઉદભવેલા વાયરસથી ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે. આ વાયરસની એન્ટ્રી ભારત અને આપણા ગુજરાતમાં પણ થઈ ચુકી છે. જો કે, ડરવાનું કોઈ કારણ નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. અમદાવાદમાં પણ HMPVએ એન્ટ્રી મારી દીધી છે અને વસ્ત્રાપુર વિસ્તારમાં એક વૃદ્ધ સંક્રમિત થયા છે. સામાન્ય કહી શકાય તેવા શરદી, ખાંસી અને તાવના લક્ષણો આ 80 વર્ષના વૃદ્ધમાં જોવા મળ્યા હતા. કોરોના બાદ ફરી એકવાર વિશ્વ ટેન્શનમાં છે.કોરોનાએ ચીનમાંથી નીકળી દુનિયામાં હાહાકાર મચાવ્યો હતો. તેવો જ વધુ એક વાયરસ ચીનમાંથી ઉદભવી ચુક્યો છે. અને ધીરે ધીરે દરેક દેશ અને રાજ્યોમાં પ્રવેશી રહ્યો છે. રાહતની વાત એ છે કે ખાનગી હોસ્પિટલમાં નોંધાયેલા આ કેસમાં વૃદ્ધની હાલત એકદમ સ્થિર છે.

દર્દીના સેમ્પલને બી.જે. મેડિકલ કોલેજમાં મોકલવામાં આવ્યા છે.તો સૌથી ડરામણો કેસ સાબરકાંઠામાંથી સામે આવ્યો છે..જ્યાં સાત વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખાનગી લેબમાં ટેસ્ટિંગ બાદ રિપોર્ટ પોઝિટિવ આવતાં હવે આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને સેમ્પલ લઈને તપાસ હાથ ધરી છે. હિંમતનગરની બેબીકેર હોસ્પિટલમાં હાલ બાળકની સારવાર ચાલી રહી છે અને બાળક હાલ વેન્ટીલેટર પર છે.ગુજરાતમાં HMPV વાયરસનો પહેલો કેસ મોડાસામાં 2 મહિનાનાં બાળકમાં જોવા મળ્યો હતો. આ બાળકમાં શરદી અને તાવના લક્ષણો જોવા મળ્યા છે.

ત્યાર બાદ લેબોરેટરીમાં બાળકનો HMVP રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, બાળકની તબિયત હાલ સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.વાયરસના ડર વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રીએ રાજ્યના લોકોને એક ખાસ મેસેજ મોકલ્યો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે, HMPV વાયરસ નવો નથી…જૂનો જ છે. પરંતુ તે ચેપી હોવાથી સાવચેતી રાખવાની જરૂર છે. ગુજરાતમાં અત્યાર સુધી HMPVના કુલ ત્રણ કેસ આવ્યા છે. દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે આપણે સૌ ડૉક્ટરની સલાહ મુજબ આગળ વધીએ અને વાયરસને આગળ વધતો અટકાવીએ.

Related Posts

ગાંધીનગર સ્થાપનાદિન: ગુજરાતની રાજધાનીએ પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન સિટીની ગૌરવગાથા : Magnificent

ગાંધીનગર સ્થાપનાદિન 2026: ગુજરાતની રાજધાની ગાંધીનગરે પૂર્ણ કર્યા 61 વર્ષ, ગ્રીન અને મોડર્ન સિટી તરીકે ઉજવી રહી છે ગૌરવપૂર્ણ સફર  ગાંધીનગર સ્થાપનાદિન: 61 વર્ષની ગૌરવમય સફર, ગ્રીન અને સ્માર્ટ કેપિટલ તરીકે ગુજરાતની ઓળખ મજબૂત  ગાંધીનગર સ્થાપનાદિન, ગાંધીનગર 61 વર્ષ, ગુજરાતની રાજધાની, Gandhinagar News, Green City Gujarat, Smart City Gandhinagar ગુજરાતની રાજધાની ગાંધીનગર આજે પોતાની સ્થાપનાના 61 વર્ષ પૂર્ણ કરીને વિકાસ, હરિયાળી અને સુઆયોજિત શહેરી આયોજનના અનોખા પ્રતીક તરીકે ઉજવણી કરી રહી છે. દેશના સૌથી સુવ્યવસ્થિત અને હરિયાળા શહેરોમાં સ્થાન ધરાવતું ગાંધીનગર આજે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ઝડપી વિકાસના કારણે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશનું આદર્શ શહેર બની ગયું છે. ગાંધીનગરની સ્થાપના ગુજરાત રાજ્યની નવી રાજધાની તરીકે કરવામાં આવી હતી. શહેરનું આયોજન આધુનિક…

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો : Awesome

પંચામૃત ડેરીનો મોટો નિર્ણય: દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો, હવે મળશે રૂ. 885 – પશુપાલકોમાં ખુશીનો માહોલ પંચામૃત ડેરીએ દૂધ ખરીદીના ભાવમાં કર્યો વધારો: પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધ્યા, હવે મળશે રૂ. 885 પંચામૃત ડેરીએ પશુપાલકોને મોટી રાહત આપતા દૂધ ખરીદીના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો જાહેર કર્યો છે. નવા દર મુજબ હવે રૂ. 885 પ્રતિ કિલો ફેટ ચૂકવાશે. જાણો આ નિર્ણયથી પશુપાલકોને શું લાભ થશે. ગુજરાતના લાખો પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યની અગ્રણી સહકારી ડેરીઓમાંની એક પંચામૃત ડેરી દ્વારા દૂધ ખરીદીના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડેરીના નિર્ણય અનુસાર હવે પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે દૂધનો નવો ખરીદી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *