રાજ્યમાં ફરી હવામાન વિભાગે આગાહી કરી છે. તેમણે કહ્યું હતું કે, આગામી દિવસોમાં શિયાળો ધીરે-ધીરે વિદાય લેશે અને ઉનાળાની શરૂઆત થશે. રાજયમાં બેવડી ઋતુની અસર રહેશે. સાથે સાથે લઘુતમ તાપમાન 5 થી 7 ડિગ્રી વધ્યું છે.નલિયામાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.બીજી તરફ મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 ડિગ્રી ઘટ્યું છે.
-> કયાં કેટલું તાપમાન નોંધાયું? :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદાવાદમાં 21.2 ડિગ્રી,ગાંધીનગર 19.2 ડિગ્રી,ડીસા 18.3 ડિગ્રી,પાલનપુર 18.5 ડિગ્રી,વડોદરા 21.6 ડિગ્રી,કંડલા 23.3 ડિગ્રી,સુરત 20.6 ડિગ્રી,અમરેલી 20.7 ડિગ્રી,ભાવનગર 22.1 ડિગ્રી,રાજકોટ 19.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
-> એક જ દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી વધ્યું :- પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. જમ્મૂ-કાશ્મીરમાં નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગુજરાત પર તેની મોટી અસર જોવા મળી છે. અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં એક દિવસમાં 3.5 ડિગ્રીનો વધારો થયો છે.
વહેલી સવારે લાગતી ઠંડીના પ્રમાણમાં ઘટાડો થયો છે. પરંતું ત્રણ દિવસ બાદ ફરી ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે. જો કે, હાલના દિવસોમાં મિશ્ર ઋતુ રહેતી હોવાના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. સવારે અને રાત્રે ઠંડી તો દિવસના ભાગમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.






