કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર!

B INDIA અમદાવાદ : અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને યંગસ્ટર્સમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિસ માર્ટિનના સોંગ્સ પર ઝૂમવા યંગસ્ટર્સ તૈયાર છે. તો બીજી તરફ ગુજરાત પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. આ કાર્યક્રમ 25 અને 26 જાન્યુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત છે. કોલ્ડપ્લે એક પ્રખ્યાત બ્રિટિશ રોક બેન્ડ છે, જેના કોન્સર્ટ સુરક્ષા માટે લગભગ 3800 પોલીસ કર્મચારીઓ, NSG ટીમ અને 400 થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી યંગસ્ટર્સ અમદાવાદમાં યોજાનાર કોલ્ડપ્લે કોન્સર્ટમાં પહોંચ્યા છે.

Coldplay Abu Dhabi Concerts Guide: Transport, Setlist And Rules

વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ લઈને પ્રેક્ષકો કોલ્ડપ્લે કોન્સર્ટ પહોંચ્યા છે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા યુવાનોમાં ત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે કોલ્ડપ્લે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગીત રસિયાઓને મ્યુઝિકના શાનદાર અનુભવ સાથે અહીં ખાસ વસ્તુઓ પણ આપવામાં આવશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં હાજર તમામ પ્રેક્ષકો તેનો અનુભવ કરી શકશે, જેનાથી આ કોન્સર્ટ યાદગાર બની રહે. જેમાં રિસ્ટ બેન્ડથી લઈને મૂનગોગલ્સ સહિતની આકર્ષક વસ્તુઓનો સમાવેશ થાય છે.રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની એક વિશેષ ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે.

Coldplay 2025: Beautiful Lines From Chris Martin's Songs That Make The Best  Instagram Captions

તે સુરક્ષા પાસાઓ પર સતત નજર રાખશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત અન્ય ખાસ ટીમોને પણ મેટ્રો સ્ટેશન અને અન્ય મહત્વપૂર્ણ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, NSG ટીમ ઉપરાંત, ત્રણ ક્વિક રિસ્પોન્સ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. એક ટીમ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની છે. 10 ટીમો બોમ્બ વિશે માહિતી એકત્રિત કરશે. માહિતી આપતાં અધિકારીએ જણાવ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકોના આગમનને કારણે, તબીબી અને પેરામેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. જેથી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

Related Posts

અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારીઓ માટે સરકારનું રાહત પેકેજ: જાણો કોને કેટલી સહાય મળશે

જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિએ વેપારીઓ, લારી-રેકડી ધારકો, કેબિન સંચાલકો તેમજ નાના-મોટા દુકાનદારોને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. અનેક ધંધાર્થીઓની દુકાનો, વેપારનું સાધન-સામાન અને રોજગારના માધ્યમોને નુકસાન થતાં તેમની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂર અસરગ્રસ્ત વેપારીઓના પુનર્વસન અને ધંધાને ફરી શરૂ કરવામાં મદદરૂપ થવા માટે વિશેષ ‘આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ’ જાહેર કર્યું છે. બે પ્રકારની સહાયનો લાભ મળશે ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ મુજબ અસરગ્રસ્ત વેપારીઓને મુખ્યત્વે બે પ્રકારની રાહત આપવામાં આવશે. પ્રથમ, નુકસાનના પ્રકાર અને ધંધાના માળખા પ્રમાણે ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે. જ્યારે પાકી દુકાન ધરાવતા પાત્ર વેપારીઓ માટે બીજી વ્યવસ્થા તરીકે બેંકની ટર્મ લોન…

HAR GHAR TIRANGA National Pride 2026: ચકલાસીમાં “ભારત માતા કી જય”ના નાદ સાથે ભવ્ય તિરંગા યાત્રા

હર ઘર તિરંગા અભિયાન 2026: ચકલાસીમાં ભવ્ય તિરંગા યાત્રા, 1,370 નાગરિકો જોડાયા TIRANGA: હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાની ઉપસ્થિતિમાં 1,370 જેટલા નાગરિકોએ રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લીધો. દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશભરમાં ચાલી રહેલા હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ગુજરાતમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ કડીમાં નડિયાદ તાલુકાના ચકલાસી નગરપાલિકા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી તથા મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિ અને આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં અંદાજે 1,370 જેટલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *