કાશ પટેલે ભગવદ ગીતા પર હાથ મુકીને લીધા પદના શપથ, દરેક ભારતીયના જીત્યા દિલ

ભારતીય મૂળના કાશ પટેલે શુક્રવારે યુએસ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના નવમા ડિરેક્ટર તરીકે શપથ લીધા. તેમણે જે રીતે શપથ લીધા તેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે. હકીકતમાં, જ્યારે કાશ પટેલ FBI ના નવા ડિરેક્ટર તરીકે શપથ લેવા પહોંચ્યા, ત્યારે તેમના હાથમાં ભગવદ ગીતા હતી. શપથ લેતી વખતે, તેમણે ભગવદ ગીતા પર હાથ મૂક્યો અને પછી શપથ લીધા. બધાને તેમની શૈલી ગમી.

તમને જણાવી દઈએ કે યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીએ આઈઝનહોવર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગમાં કાશ પટેલને શપથ લેવડાવ્યા છે. આ પ્રસંગે પટેલની ગર્લફ્રેન્ડ અને તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે હતા. કાશ પટેલ આ પદ પર પહોંચનારા ભારતીય મૂળના પ્રથમ વ્યક્તિ છે.

શપથ લીધા પછી, કાશ પટેલે કહ્યું કે હું અમેરિકન સ્વપ્ન જીવી રહ્યો છું અને જે કોઈ એવું વિચારે છે કે અમેરિકન સ્વપ્ન મરી ગયું છે, તેણે અહીં જોવું જોઈએ. તેમણે કહ્યું તમે પહેલી પેઢીના ભારતીય સાથે વાત કરી રહ્યા છો જે પૃથ્વી પરના સૌથી મહાન રાષ્ટ્રની કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. આ બીજે ક્યાંય ન થઈ શકે.

-> કાશ પટેલ કોણ છે? :- ન્યૂયોર્કમાં જન્મેલા કાશ પટેલ 44 પાટીદાર સમુદાયના છે. કાશ પટેલ ગુજરાતના આણંદ જિલ્લાના ભાદરણ ગામના વતની છે.તેમનો પરિવાર સાત-આઠ દાયકા પહેલા ભારતથી યુગાન્ડા ગયો હતો.પટેલના બધા નજીકના સંબંધીઓ વિદેશમાં સ્થાયી થયા છે.તેઓ અમેરિકાની મુખ્ય કાયદા અમલીકરણ એજન્સીનું નેતૃત્વ કરનારા પ્રથમ ભારતીય-અમેરિકન બન્યા છે.ન્યુ યોર્કના વતની, કાશ પટેલે રિચમંડ યુનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યો અને પછી કાયદાની ડિગ્રી મેળવવા માટે ન્યુ યોર્ક પાછા ફર્યા. તેમણે યુકેમાં યુનિવર્સિટી કોલેજ લંડન ફેકલ્ટી ઓફ લોમાંથી આંતરરાષ્ટ્રીય કાયદામાં પ્રમાણપત્ર પણ મેળવ્યું. કાશ પટેલ એક વકીલ છે. તેમની પ્રિય રમત ‘આઈસ હોકી’ છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

#Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *