ઉત્તરાયણને લઇને અંબાલાલ પટેલની આગાહી, પતંગ રસિયાઓને ઠંડીથી મળશે રાહત

ઉત્તરાયણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉત્તરાયણમાં 14થી 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં રાહત મળશે. તેમજ કચ્છ સિવાયના વિસ્તારોમાં ઠંડી ઓછી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે.

અંબાલાલ પટેલે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

-> 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે :- અંબાલાલ પટેલે 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. સાથે સાથે, મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે. તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.

Related Posts

રાશિફળ/14 ફેબ્રુઆરી 2026: આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

અંક જ્યોતિષ/14 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *