ઉત્તરાયણના દિવસે પવનની ગતિ રહેશે સારી, પરેશ ગોસ્વામીએ કરી આગાહી

B india અમદાવાદ :- હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પતંગ રસિયાઓ ખુશ થઈ જાય તેવી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, ઘણાં વર્ષો પછી આ વખતની ઉત્તરાયણ માટે પવનની ગતિ અને દિશા અનુકૂળ રહેશે. સામાન્ય રીતે ગુજરાતભરમાં આકાશ ચોખ્ખું રહેશે.

ગુજરાતનું તાપમાન નોર્મલ નજીક જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય, સાબરકાંઠા હોય, અરવલ્લીના ભાગોમાં કદાચ 20 થી લઈને 22 ની આસપાસનું મહત્તમ તાપમાન જોવા મળી શકે છે. બાકીના અન્ય ભાગોમાં 25 થી લઈને 30 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, કચ્છમાં પવનની સ્પીડ નોર્મલ કરતાં વધારે રહેશે. એટલે 14 થી લઈને 18 કિમી પ્રતિ કલાક પવનની સ્પીડ જોવા મળી શકે છે. સાથે તેમણે જણાવ્યું છે કે, પવનની સ્પીડ ગયા વર્ષ કરતાં આ વખતે વધારે જોવા મળશે. સૌથી વધારે સ્પીડ સૌરાષ્ટ્રમાં નોર્મલ કરતાં વધારે એટલે કે, 20 થી લઈને 22 કિમી પ્રતિ કલાક સુધીની જોવા મળી શકે છે. પવન ઉત્તર અને ઉત્તર પૂર્વના રહેશે. એટલે પતંગ રસિકો માટે આ પવન સારો જોવા મળી શકે છે.

Related Posts

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *