અમરેલીમાં લેટરકાંડ મામલે મોટા સમાચાર, ત્રણ પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ

B india અમરેલી :- અમરેલી જિલ્લા પોલીસ વડાની સૌથી મોટી કાર્યવાહી જોવા મળી છે. એલસીબીમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજમાં નિષ્કાળજી બદલ એસપીએ આ કાર્યવાહી કરી છે. કિશન આસોદરિયા, વરજાંગ મુળાસિયા અને મહિલા પોલીસકર્મી હીના મેવાડા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પાયલ ગોટી મામલે જે આખી એસઆઈટી ટીમની પણ રચના કરવામાં આવી હતી. જેમાં સિનિયર અધિકારીઓનો તેમાં સમાવેશ થયો હતો. બે મહિલા અધિકારીનો પણ સમાવેશ થયો હતો. જે પ્રકારે પાયલ ગોટીને માર મારવાના કેટલાક આક્ષેપો થયા હતા, સાથે સાથે તેનુ સરઘસ કાઢવામાં આવ્યાનો પણ એક આક્ષેપ હતો, તે મામલે પોલીસકર્મચારીઓની ફરજ દરમિયાન બેદરકારી હોવાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ત્રણેય પોલીસ કર્મી લોકલ ક્રાઈમ બ્રાન્ચના ફરજ બજાવતા હતા.

-> લેટરકાંડ મામલે કોંગ્રેસનાં ધરણાં :- છેલ્લા 15 દિવસથી રાજ્યમાં પાટીદાર દીકરીના મુદ્દાની ખુબ જ ગૂંજ સંભળાઇ રહી છે.અમરેલી જિલ્લાનું રાજકારણ હાલ આ મુદ્દે સૌથી વધુ ગરમ છે. કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આ મામલે ધરણાં પણ યોજવામાં આવ્યા હતા. અને ન્યાયની માગણી કરવામાં આવી હતી.

Related Posts

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

NEET 2026 ઉમેદવારો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દોડાવશે 6 સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગત

NEET-UG 2026 પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 21 જૂનના રોજ યોજાનારી NEET પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઉમેદવારો અને તેમના પરિવારજનોને મુસાફરીમાં સરળતા રહે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *